નવી દિલ્હી: પીએમ નરેન્દ્ર મોદીના પંજાબ પ્રવાસ દરમિયાન સુરક્ષામાં થયેલી ચૂક મામલે આજે સુપ્રીમ કોર્ટમાં ફરી સુનાવણી થઈ. સુપ્રીમ કોર્ટે આ મામલે તપાસ માટે કમિટી બનાવશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજની અધ્યક્ષતામાં પીએમ મોદીની સુરક્ષામાં ચૂક મામલાની તપાસ થશે. કોર્ટે કહ્યું કે સમિતિમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ના ડીજી અને ઈન્ટેલિજન્સ બ્યૂરો (IB)ની પંજાબ યુનિટના એડિશનલ ડીજી પણ સામેલ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંજાબ સરકારને સુપ્રીમ કોર્ટની ફટકાર
સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન પંજાબ સરકારને ખુબ ફટકાર લગાવી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જ્યારે તમે નક્કી જ નથી કરી શકતા કે ચૂક થઈ છે કે નહીં તો કોર્ટમાં કેમ આવ્યા છો? આ બાજુ એસજી તુષાર મહેતાએ કહ્યું કે પીએમ મોદીની સુરક્ષા મામલે એસપીજી એક્ટ (SPG Act) અને બ્લ્યુ બુકનો ભંગ થયો. 


Kashi Vishwanath Dham: આકરી ઠંડીમાં કાશી વિશ્વનાથ ધામમાં હવે ખુલ્લા પગે નહીં કરવી પડે ડ્યૂટી, PM મોદીએ આ ખાસમખાસ જૂતા મોકલ્યા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube