સુપ્રીમ કોર્ટે મંગળવારે આશ્ચર્યચકિત થઈ ગઈ જ્યારે જણાવવામાં આવ્યું કે રાજધાનીમાં દિલ્હી હાઈકોર્ટ માટે ફાળવવામાં આવેલી જમીન પર એક રાજકીય પક્ષ દ્વારા અતિક્રમણ કરવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે તેને ગંભીરતાથી લેતા કહ્યું કે કોઈ રાજકીય પક્ષ હાઈકોર્ટ માટે ફાળવવામાં આવેલી જમીન પર કબજો કેવી રીતે કરી શકે. અત્રે જણાવવાનું કે આમ આદમી પાર્ટી દિલ્હી હાઈકોર્ટને ફાળવવામાં આવેલા રાઉજ એવન્યૂ પ્લોટ પર પોતાની ઓફિસ ચલાવે છે. આ બંગલો દિલ્હીના પરિવહન મંત્રીનું આવાસ હતું પરંતુ ત્યારબાદ પાર્ટીએ તેને પોતાના કબજામાં લઈ લીધો. આ જમીનને ખાલી કરાવવાની દિલ્હી સરકારની અસમર્થતા પર આપત્તિ જતાવતા સુપ્રીમ કોર્ટે મંગળવારે તેને જલદી ખાલી કરાવવાનો નિર્દેશ આપ્યો અને કહ્યું કે કોઈને પણ કાનૂનનો ભંગ ક રવાની પરવાનગી આપવી જોઈએ નહીં. 


રાજકીય પક્ષનું કાર્યાલય
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડી વાય ચંદ્રચૂડ, ન્યાયમૂર્તિ જે બી પારડીવાલા અને મનોજ મિશ્રાની બેન્ચને દિલ્હી હાઈકોર્ટ માટે ફાળવેલી જમીન પર અતિક્રમણ થવાની જાણકારી એ સમય આપવામાં આવી જ્યારે દેશભરમાં ન્યાયિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત મામલાઓ પર સુનાવણી ચાલુ હતી. આ મામલે નિયુક્ત ન્યાય મિત્ર તથા વરિષ્ઠ વકીલ કે પરમેશ્વરે બેન્ચને જણાવ્યું કે દિલ્હી હાઈકોર્ટના અધિકારી ફાળવેલી જમીન પર કબજો લેવા માટે ગયા હતા અને તેમને જમીન પર કબજો લેવાની મંજૂરી અપાઈ નહતી. તેમણે બેન્ચને એ પણ જણાવ્યું કે હવે તે જમીન પર એક રાજકીય પક્ષનું કાર્યાલય બની ગયું છે. જો કે ન્યાય મિત્ર પરમેશ્વરે સ્પષ્ટ રીતેકોઈ રાજકીય પક્ષનો ઉલ્લેખ નથી કર્યો અને સ્પષ્ટ કર્યું કે તેઓ આ મુદ્દાનું રાજનીતિકરણ ઈચ્છતા નથી. પોતાના રિપોર્ટમાં તેમણે કહ્યું કે હાઈકોર્ટ જમીનનો કબજો પાછો મેળવવા માટે સક્ષમ નથી. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube