જતિન્દર નૂરા, જમ્મુ: એક એવી વ્યક્તિ કે જેણે આંખો ન હોવા છતાં પણ પોતાના સપના સાકાર કરવામાં જરાય પાછી પાની ન કરી. આજે જમ્મુ કાશ્મીર હાઈકોર્ટમાં એક માત્ર એવો વકીલ છે જેની આંખો નથી પરંતુ આમ છતાં તે કોઈ પણ અન્ય વકીલ કરતા જરાય કમ નથી. આંખો નથી  છતાં આ વકીલ અન્ય વકીલની જેમ જ મોટા મોટા કેસ લડવાની તાકાત ધરાવે છે. દરેક જણ વકીલ સૂરજ સિંહના જુસ્સાને સલામ કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જમ્મુ કાશ્મીર હાઈકોર્ટમાં સાડા ત્રણ હજારથી વધુ વકીલ છે અને સૂરજ સિંહ એક એવા વકીલ છે જેમની આંખો નથી. સૂરજ સિંહનો જન્મ કઠુઆની તહસીલ લોહાઈ મલાલમાં થયો. સૂરજ સિંહના માતા પિતા ગામમાં જમીનદારી કરે છે. સારું શિક્ષણ મેળવવા માટે સૂરજે જમ્મુ તરફ ડગ માંડ્યા અને જમ્મુમાં રહીને કાયદાનો અભ્યાસ કર્યો. જમ્મુમાં રહેવા માટે તેમણે ખુબ સંઘર્ષ કરવો પડ્યો. એક તો આંખોથી દેખાતું નહતું અને અભ્યાસ માટે કોલેજ જવું પણ મુશ્કેલ બનતું હતું. 


મુંબઈ: પૂર્વ કમિશનરે Mohan Delkar suicide કેસ મામલે કર્યો ચોંકાવનારો ખુલાસો, લગાવ્યો આ આરોપ


Mansukh Hiren case: પૂર્વ કમિશનર અને ACP વચ્ચેની એ વિસ્ફોટક ચેટ...જેણે મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ સર્જ્યો


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube