નવી દિલ્હી : સેના અધ્યક્ષ બિપિન રાવતે કહ્યું કે, સર્જિકલ સ્ટ્રાઇક સરપ્રાઇઝ આપવાનું હથિયાર છે. તેને સરપ્રાઇઝ જ રહેવા દો. બીજી તરફ ભારતીય સેનાના પાકિસ્તાનની વિરુદ્ધ વધારે એક સર્જીકલ સ્ટ્રાઇક કરવાનાં સવાલ પર જવાબ આપી રહ્યા હતા. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંયુક્ત રાષ્ટ્ર સમ્મેલન દરમિયાન ભારત- પાકિસ્તાનની વચ્ચે મંત્રણા રદ્દ થવા અંગે સેના અધ્યક્ષ જનરલ બિપિન રાવતે ભારત સરકારનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે, શાંતિ વાર્તા અને આતંકવાદ બંન્ને સાથે સાથે ન થઇ શકે. સરકારે વાર્તા રદ્દ કરવાનો યોગ્ય નિર્ણય લીધો છે. આપણી સરકારની નીતિ છે કે વાતચીત અને આતંકવાદ સાથે સાથે ન થઇ શકે. અમે પાકિસ્તાનને શબ્દોમાં કહ્યું છે કે તેઓ કંઇક એવુ કરી દેખાડી જેના કારણે સાબિત થાય કે આતંકવાદને ઉત્તેજન નથી આપી રહ્યું. 

જનરલ રાવતે પાકિસ્તાનની તરફ ઇશારો કરતા કહ્યું કે, તમે પોતે વારંવાર પોતે બોલતા છે કે અમે પોતાની સરહદનો ઉપગોય કોઇ બીજા દેશનાં વિસ્તારમાં આતંકવાદ ગતિવિધિઓની વિરુદ્ધ થવા નહી દે. પરંતુ આપણે જોઇ રહ્યા છીએ કે આતંકવાદ ગતિવિધિ થઇ રહી છે અને આતંકવાદી સરહદથી પાર આવી રહ્યા છે. 

રાવતે બીએસએફના જવાનની હત્યા પર નારાજગી વ્યક્ત કરતા પાકિસ્તાનની વિરુદ્ધ કડક પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે, પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપતા સમય આવી ચુક્યો છે. પાકિસ્તાન ઘણીવાર આ પ્રકારની નિર્મમ ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. આ કોઇ પહેલીવાર નથી. જનરલ રાવતે કહ્યું કે, પાકિસ્તાન કાશ્મીરમાં શાંતિ નથી ઇચ્છતું. તેઓ કાશ્મીર ખીણમાં યુવાનોને દિગ્ભ્રમિત કરી રહ્યા છે.