નવી દિલ્હીઃ જ્યોતિશશાસ્ત્રમાં રાશિ પરિવર્તનને ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 17 સપ્ટેમ્બરથી સૂર્ય દેવ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યાં છે. આ દિવસે સૂર્ય દેવ કન્યા રાશિમાં પ્રવેશ કરવાના છે. સૂર્ય દેવના રાશિ પરિવર્તન કરવાથી કેટલીક રાશિના જાતકોને શુભ ફળની પ્રાપ્તિ થશે. આવો જાણીએ સૂર્યના રાશિ પરિવર્તન કરવાથી ક્યા રાશિના જાકતોના શુભ દિવસો શરૂ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
- પ્રોપર્ટીના વ્યવસાય વગેરેથી લાભ થશે.
- તમે જે ઈચ્છો છો તે કામ પૂરા થવાની શક્યતાઓ છે.
- જીવનસાથી તરફથી તમને લાભ થશે.
- રોજિંદા કામકાજ ફાયદાકારક રહેશે.
- પારિવારિક સમસ્યાઓ હલ કરવાની તક મળશે.
- ઓફિસમાં માન-સન્માન વધશે, અધિકારીઓ ખુશ રહેશે.
- તમને નાણાકીય લાભ થવાની અપેક્ષા છે.
- તમને કોઈ સારા સમાચાર મળી શકે છે.


આ પણ વાંચોઃ રાત્રે સુતા પહેલા આ મંત્રનો કરો જાપ, દૂર થશે સમસ્યા અને મળશે લાભ


મિથુન રાશિ 
- ભાગ્ય તમારો સાથ આપશે.
- રોકાયેલા પૈસા પાછા મળશે.
- આ સમય તમારા માટે શુભ રહેશે.
- બીમારી વગેરે ખબર પડી જશે પણ જલ્દી છુટકારો મળશે.
- નવી યોજના બનશે, જે ભવિષ્યમાં ફાયદાકારક રહેશે.
- આ અઠવાડિયે તમારા માટે લીધેલા નિર્ણયોથી મોટો ફાયદો થશે, - જૂના અટકેલા કામ પૂરા થશે.
- પૈસાથી ફાયદો થઈ શકે છે.


વૃશ્ચિક રાશિ
- તમે કોઈપણ ચિંતાઓમાંથી મુક્તિ મેળવી શકો છો.
- તમારી આર્થિક સ્થિતિમાં ફેરફાર થઈ શકે છે.
- તમારે કોઈ યાત્રા પર જવું પડી શકે છે.
- સંચિત સંપત્તિમાં વધારો થવાની સંભાવના છે.
- અધિકારીઓ સાથે સંબંધો સારા રહેશે.
- તમે રિયલ એસ્ટેટનો સોદો કરી શકો છો.
- તમે ખરીદી અને વેચાણમાં નફો કરી શકો છો.


મીન રાશિ
- તમને આ અઠવાડિયે ક્યાંકથી અચાનક લાભ થવાની અપેક્ષા છે.
- તમે કોઈ શુભ કાર્યમાં પૈસા ખર્ચી શકો છો.
- તમે પારિવારિક સુખ મેળવી શકો છો, જો તમે વિદ્યાર્થી છો તો તમને - રમતગમતમાં સારી સફળતા મળી શકે છે.
- તમારી નાણાકીય સ્થિતિ મજબૂત બની શકે છે.
- પરિવાર સાથે સ્નેહ વધી શકે છે.


(ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલી માહિતી જ્યોતિષ અને માન્યતાઓ પર આધારિત છે)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube