નવી દિલ્હી: શાહજહાંપુર કેસમાં પૂર્વ ગૃહરાજ્ય મંત્રી સ્વામી ચિન્મયાનંદની ધરપકડ કરી લેવાઈ છે. સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ ચિન્મયાનંદની શાહજહાંપુરથી ધરપકડ  કરી છે. હવે તેમને મેડિકલ માટે જિલ્લા હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યાં છે. જિલ્લા હોસ્પિટલમાં મોટા પ્રમાણમાં ફોર્સ તહેનાત છે. અત્રે જણાવવાનું કે સ્વામી ચિન્મયાનંદ પર વિદ્યાર્થીનીએ વારંવાર દુષ્કર્મ કરવાના અને તેને બ્લેકમેઈલ કરવાના આરોપ લગાવ્યાં હતાં. હતાશ પીડિત વિદ્યાર્થીનીએ ચિન્મયાનંદની ધરપકડ ન થાય તો આત્મહત્યાની ધમકી પણ આપી હતી. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...