નવી દિલ્હી: તબલિગી જમાત સાથે જોડાયેલા લોકો દુનિયાભરમાં ફેલાયેલા છે અને કોરોના સંક્રમણના કારણે એકવાર ફરીથી વિવાદમાં છે. દિલ્હીના નિઝામુદ્દીનમાં આવેલા તબલિગી જમાતના મરકઝથી દુનિયાના 150થી વધુ દેશોમાં જમાતો ઈસ્લામના પ્રચાર પ્રસાર માટે જાય છે. એટલું જ નહીં દુનિયાના તમામ દેશોમાથી તબલિગી જમાતના લોકો  ભારતમાં પણ આવે છે. સાઉદી અરબ કે જ્યાંથી ઈસ્લામની શરૂઆત થઈ ત્યાં પણ તબલિગી જમાત સંપૂર્ણ રીતે પ્રતિબંધિત છે. આ ઉપરાંત ઈરાનમાં પણ તેને ઈસ્લામના પ્રચાર પ્રસારની મંજૂરી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Coronavirus: ચોંકાવનારો ખુલાસો, તબલિગી જમાતના લોકો શાહીન બાગ પ્રદર્શનમાં પણ પહોંચ્યા હતાં


અત્રે જણાવવાનું કે મૌલાના ઈલિયાસ કાંધલવીએ 1927માં તબલિગી જમાતની રચના કરી હતી. તે દેવબંદી વિચારધારાથી પ્રેરિત અને મુસલમાનોમાં હનફી સંપ્રદાયને માનનારા છે. ઈલિયાસ કાંધલવી પહેલી જમાત દિલ્હીની બાજુમાં આવેલા હરિયાણાના મેવાતના મુસ્લિમ સમુદાયના લોકોને ઈસ્લામનું ધાર્મિક શિક્ષણ આપવા માટે લઈ ગયા હતાં. ત્યારબાદથી તબલિગી જમાતનું કામ દુનિયાના તમામ દેશોમાં વિસ્તરી રહ્યું છે. પરંતુ સાઉદી અરબ અને ઈરાનમાં તબલિગી જમાત પોતાની જગ્યા જમાવી શક્યું નથી. 


સાઉદી અરબમાં સલફી મસલક (સંપ્રદાય)ને માનનારા લોકો વધુ છે. ત્યાંની મસ્જિદોના ઈમામ પણ મોટાભાગે સલફી મસલકના છે. તબલિગી જમાતના લોકો હનફી મસલકના છે. આવામાં ઈસ્લામની અંદર ધાર્મિક અને વૈચારિક મતભેદના કારણે એક પ્રકારે સાઉદી અરબમાં તબલિગી જમાત પર પ્રતિબંધ છે કારણ કે સલફી મસલકમાં ઈસ્લામના પ્રચાર પ્રસારની આ પ્રકારની કોઈ પદ્ધતિ નથી. 


મુંબઈ પર મોટું જોખમ, અત્યંત ગીચ વસ્તીવાળા ધારાવીમાં પહોંચી ગયો જીવલેણ કોરોના વાયરસ


આ ઉપરાંત સાઉદી અરબમાં મસ્જિદોની તમામ જવાબદારીઓ સરકાર પાસે છે. ત્યાં મસ્જિદોમાં કોઈને રોકાવવાની મંજૂરી નથી કે કોઈ પ્રકારની ધાર્મિક ભીડ ભેગી કરવાની પરવાનગી નથી. જ્યારે તબલિગી જમાતના લોકો મસ્જિદોમાં જઈને રોકાય છે અને લોકોની વચ્ચે પ્રચાર પ્રસાર કરે છે. જેના કરાણે સાઉદી અરબની હૂકૂમતે તબલિગી જમાતને પોતાના દેશમાં બેન કરી રાખ્યો છે. આ ઉપરાંત સાઉદી અરબનો એક તર્ક એ પણ છે કે અહીંથી જ ઈસ્લામ સમગ્ર દુનિયામાં ફેલાયો છે આવામાં કોઈ અમને ઈસ્લામ વિશે શું જણાવશે.


સાઉદી અરબે તબલિગી જમાત ઉપરાંત ઉપરાંત પણ અન્ય મુસ્લિમ સમુદાયોની રીતભાતને બેન કરી રાખ્યા છે. સાર્વજનિક રીતે ન તો કોઈને પણ પોતાના ધાર્મિક કાર્ય કરવાની મંજૂરી છે કે ન તો કોઈ પણ પ્રકારનો ફાળો ભેગો કરવાની મંજૂરી કોઈને છે. એક ખાનગી ચેનલના અહેવાલ મુજબ હાલમાં જ સાઉદી અરબે તબલિગી જમાતને પ્રતિબંધિત કરવા માટે કાયદેસર લેટર પણ જાહેર કર્યો. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube