ચેન્નઈઃ તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં (Tamil Nadu Assembly Election 2021) અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM પોતાનું ભાગ્ય અજમાવવા જઈ રહી છે. AIMIM એ શશિકલાના ભત્રીજા ટીટીવી દિનાકરનની પાર્ટી સાથે ગઠબંધન કર્યુ છે. ગઠબંધનની સમજુતિ હેઠળ ઓવૈસીની પાર્ટી ત્રણ સીટ વાનીયંબાદી, કૃષ્ણગિરિ અને શંકરપુરમ પર ચૂંટણી લડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AIMIM એ પાછલી ચૂંટણીઓમાં સારૂ પ્રદર્શન કર્યુ છે. પાર્ટીએ બિહાર વિધાનસભા ચૂંટણીમાં પાંચ સીટો પર જીત મેળવી હતી. ત્યારબાદ એઆીએમઆઈએમે ગુજરાત અને હૈદરાબાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ સફળતા હાસિલ કરી હતી. AIMIM પશ્ચિમ બંગાળમાં પણ વિધાનસભા ચૂંટણી લડશે. 


આ પણ વાંચોઃ Election 2021: ચૂંટણી પહેલા મમતાને ફરી ઝટકો, 5 ધારાસભ્યો પાર્ટી છોડી ભાજપમાં જોડાયા


ટીટીવી દિનાકરને થોડા દિવસ પહેલા કહ્યુ હતુ કે શશિકલાએ રાજનીતિને ભલે અલવિદા કહ્યુ હોય પરંતુ તેની પાર્ટી અમ્મા મક્કલ મુનેત્ર કજગમ (એએમએમકે) ચૂંટણી લડશે. તમિલનાડુમાં 234 વિધાનસભા સીટો પર 6 એપ્રિલે એક તબક્કામાં મતદાન થશે. 


શશિકલાને AIDMK માંથી કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ ટીટીવી દિનાકરને એએમએમકે નામથી પાર્ટી બનાવી હતી. મહત્વનું છે કે શશિકલાએ બધાને ચોંકાવતા ત્રણ માર્ચે જાહેરાત કરી હતી કે તે રાજનીતિથી દૂર રહેશે. તેમણે કહ્યું હતું કે, એઆઈડીએમકે એક રહે અને ડીએમકેને સત્તાથી દૂર રાખે. 


આ પણ વાંચોઃ Mamata Banerjee નો કટાક્ષ, કહ્યું- એક દિવસ એવો આવશે જ્યારે દેશનું નામ નરેન્દ્ર મોદીના નામ પર રાખવામાં આવશે


ડીએમકે સત્તામાં રહેલી એઆઈએડીએમકે-ભાજપ ગઠબંધન વિરુદ્ધ ચૂંટણી લડી રહી છે. ડીએમકેએ ચૂંટણીમાં કોંગ્રેસ અને અન્ય પક્ષો સાથે ગઠબંધન કર્યુ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube