નવી દિલ્હી: રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ એકવાર ફરીથી ભારત વિરુદ્ધ નાપાક ષડયંત્રો રચનારાઓની કોશિશને નિષ્ફળ બનાવી છે. NIAએ આજે અંસારુલ્લા મામલામાં સૈયદ મોહમ્મદ બુખારીના ચેન્નાઈ સ્થિત નિવાસસ્થાન અને ઓફિસમાં દરોડા પાડ્યાં. NIAએ તેની સાથે જ હસન અલી યુનુસમરિકર અને હરિશ મોહમ્મદના તામિલનાડુના નાગાપટ્ટિનમ સ્થિત ઘર ઉપર પણ દરોડા પાડ્યા હતાં. આ તમામ પ્રતિબંધિત સંગઠન સિમી પ્રત્યે ઢળેલા હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિસ્તારોમાં પડ્યાં દરોડા
શનિવારે સવારે એનઆઈએની ટીમે તામિલનાડુના મદુરાઈ, થેની, નેલાઈ સહિત અનેક વિસ્તારોમાં દરોડા પાડ્યાં અને 16 લોકોની ધરપકડ કરી. એનઆઈએએ તેમના વિરુદ્ધ અંસારુલ્લા નામનું આતંકી સંગઠન બનાવીને ભારત સરકાર વિરુદ્ધ યુદ્ધ છેડવાનું કાવતરું ઘડવાનો કેસ નોંધ્યો હતો. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...