નવી દિલ્હી: તેલંગણાના હૈદરાબાદ જિલ્લાના સૈદાબાદમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાનો કેસ ખુબ ચર્ચામાં છે. ગુરુવારે હૈદરાબાદ પોલીસને રેલવે ટ્રેક પાસેથી એક મૃતદેહ મળ્યો છે. આ મૃતદેહ આ કેસના આરોપીનો જ છે તેની પુષ્ટિ તેલંગણાના ડીજીપીએ કરી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વારનગલમાં રેલવે ટ્રેક પરથી એક મૃતદેહ મળી આવ્યો. જ્યાં પોલીસ પહોંચી ત્યારે મૃતદેહની તપાસ કરી અને હાથ પર બનેલા ટેટુના આધારે જાણવા મળ્યું કે આ મૃતદેહ સૈદાબાદ રેપ હત્યા કેસના આરોપીનો જ છે. તેલંગણાના ડીજીપીએ ટ્વીટ કરીને કહ્યું કે સિંગારેની કોલોનીમાં રેપ અને મર્ડર કરનારા આરોપીનો મૃતદેહ રેલવે ટ્રેક પરથી મળ્યો છે. તે ઘનપુર પોલીસ સ્ટેશન હેઠળ આવે છે. શરીર પર મળેલા નિશાનના આધારે આરોપીની પુષ્ટિ કરવામાં આવી છે. 


અત્રે જણાવવાનું કે હૈદરાબાદ શહેરના સઈદાબાદ વિસ્તારની સિંગરેની સ્લમ કોલોનીમાં 9 સપ્ટેમ્બરના રોજ છ વર્ષની બાળકી અર્ધનગ્ન અવસ્થામાં પાડોશીના ઘરમાં મૃત મળી આવી હતી. બાળકીના બળાત્કાર અને પછી હત્યાનો મુખ્ય સંદિગ્ધ 30 વર્ષનો રાજૂ નામનો પાડોશી હોવાનું જણાવાયું હતું. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube