નવી દિલ્હી: કાશ્મીરનો અલગાવવાદી નેતા યાસિન મલિક ટેરર ફંડિગ મામલે દોષિત જાહેર થયો છે. NIA ની કોર્ટે યાસીન મલિકને દોષિત જાહેર કર્યો છે. આ મામલે સજા કેટલી થશે તેનો નિર્ણય 25મી મેના રોજ લેવાશે. યાસિન મલિકે પોતે કબૂલાત કરી હતી કે તે કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓમાં સામેલ હતો. આ મહિને જ ખબર આવી હતી કે યાસીન મલિકે તે આતંકી ગતિવિધિઓમાં સામેલ હતો તે સ્વીકાર્યું છે. તેણે અપરાધિક ષડયંત્ર રચ્યું હતું અને તેના પર લાગેલી દેશદ્રોહની કલમ પણ સાચી છે. યાસીન પર જે UAPA હેઠળ કલમો લાગી છે તે ગુના પણ તેણે સ્વીકાર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અલગાવવાદી યાસીન મલિકે કોર્ટમાં કહ્યું કે તે યુએપીએની કલમ 16 (આતંકવાદી ગતિવિધિ), 17 (આતંકી ગતિવિધિઓ માટે ફંડ ભેગુ કરવું), 18 (આતંકવાદી કૃત્યનું ષડયંત્ર રચવું), તથા 20 (આતંકવાદી જૂથ કે સંગઠનનો સભ્ય હોવું) તથા ઈન્ડિયન પીનલ કોડની કલમ 120-બી (અપરાધિક ષડયંત્ર), તથા 124(એ) રાજદ્રોહ હેઠળ લાગેલા આરોપોને પડકારવા માંગતો નથી. 


Gyanvapi Masjid Controversy: સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી ટળી, વારાણસી કોર્ટની કાર્યવાહી ઉપર પણ રોક લગાવી


Gyanvapi Mosque Survey: અજય મિશ્રાના રિપોર્ટમાં દાવો- જૂના મંદિરોના કાટમાળ પર દેવી-દેવતાઓની કલાકૃતિ


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube