શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં 5 આતંકીઓ સંતાયા હોવાની સૂચના છે. ગુપ્તચર ખાતા દ્વારા મળેલી સૂચના પ્રમાણે પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર (PoK)માંથી આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના પાંચ આતંકીઓના એક જુથે ભારતીય સીમામાં ઘુસણખોરી કરી છે. મળતી માહિતી પ્રમાણે આ ઘુસણખોરી ગયા અઠવાડિયે કરવામાં આવી છે. આ આતંકી કાશ્મીરની ખીણમાં કોઈ મોટો આતંકી હુમલો કરી શકે છે. સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આ આતંકીઓ સુરક્ષાદળો પર હુમલો કરી શકે છે. ગુપ્તચર ખાતા દ્વારા આપવામાં આવેલી જાણકારી પછી કાશ્મીરમાં સેના અને વાયુસેના એલર્ટ પર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જમ્મુ અને કાશ્મીરમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે ઘાટીમાં સુરક્ષા દળોની 280થી વધુ કંપનીઓ (28000 જવાનો) તહેનાત કરવામાં આવી રહી છે. પીટીઆઈના અહેવાલ મુજબ અધિકૃત સૂત્રોએ આ જાણકારી આપી છે. સૂત્રોએ  કહ્યું કે સુરક્ષા દળોને શ્રીનગર શહેરના અતિસંવેદનશીલ વિસ્તારોમાં તથા ઘાટીની અન્ય જગ્યાઓ પર તહેનાત કરવામાં આવી રહ્યાં છે. જેમાં મોટાભાગના સીઆરપીએફના જવાનો છે. આ બાજુ એએનઆઈના જણાવ્યાં મુજબ હાલની સ્થિતિને ધ્યાનમાં લેતા સરકારે એરફોર્સ અને આર્મીને પણ હાઈ ઓપરેશનલ એલર્ટ પર મૂક્યા છે. 


જોકે આ જવાનોની ફાળવણી વિશે ગૃહમંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે આ એક નિયમિત પ્રક્રિયા છે. મંત્રાલયે વિશેષમાં જણાવ્યું છે કે કોઈ ચોક્કસ સ્થાને અર્ધસૈનિક દળોની તહેનાતી અને તેમની ગતિવિધી વિશે સાર્વજનિક રીતે ચર્ચા કરવાનું યોગ્ય નથી. 


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક....