નવી દિલ્હીઃ લેફ્ટનન્ટ જનરલ એસ.કે. સૈનિઓ, સેનાની દક્ષિણ કમાન્ડના અધિકારીએ સોમવારે જણાવ્યું કે, ભારતી સેનાને એવા ઈનપુટ મળ્યા છે કે આતંકવાદીઓ ભારતના દક્ષિણ ભાગમાં ગમે ત્યારે હુમલો કરી શકે છે. લેફ્ટનન્ટ જનરલ સૈનીએ વધુમાં જણાવ્યું કે, સુરક્ષા દળોને ગુજરાતના કચ્છના સિરક્રિકમાંથી કેટલી ત્યાગી દેવામાં આવેલી બોટ મળી છે. જેના કારણે સેનાને હાઈએલર્ટ પર મુકવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લેફ્ટનન્ટ સૈનીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, "સિરક્રિકમાંથી કેટલીક ત્યજી દેવામાં આવેલી બોટ મળી આવતાં સેનાને એલર્ટ કરી દેવાઈ છે. અમે આતંકવાદીઓનાં કોઈ પણ પ્રયાસને નિષ્ફળ બનાવવા માટે તમામ પ્રકારનાં સુરક્ષાત્મક પગલાં લઈ રહ્યાં છીએ."


પાકિસ્તાનની પ્રથમ અંતરીક્ષયાત્રીએ કરી 'ચંદ્રયાન-2' મિશનની પ્રશંસા, ISROને આપ્યા અભિનંદન


હિન્દુઓ જેવી વેશભૂષા અને બોલચાલની તાલીમ
સૂત્રોનો દાવો છે કે, ગુપ્તચર એજન્સીઓ પાસે એ વાતની પણ માહિતી છે કે, પાકિસ્તાન નેવીના સ્પેશિયલ સર્વિસ ગ્રૂપના એક પૂર્વ કમાન્ડર કરાચી બંદરગાહ પાસે અજાણ્યા ઠેકાણા પર આતંકવાદીઓને ટ્રેનિંગ આપી રહ્યા છે. આ ટ્રેનિંગમાં શૂટિંગ ઉપરાંત લોન્ડ ડિસ્ટન્સ સ્વિમિંગ, અંડર-વોટ સબોટેજ, નેવિગેશન અને સેટેલાઈટ ઉપકરણોના સંચાલન જેવી તાલીમ છે. હિન્દુઓ જેવી વેશભુષા અને બોલચાલ પણ આ ટ્રેનિંગ મોડ્યુલનો એક ભાગ છે. 


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....