ઝી મીડિયા/બ્યૂરો :માનવ ખોપડીની પાછળના અંદરના ભાગને સંસ્કૃતમાં મેરુશીર્ષ અને અંગ્રેજીમાં "Medulla Oblongata" કહેવાય છે. તેને મનુષ્યના શરીરનો સૌથી વધુ સંવેદનશીલ ભાગ માનવામાં આવે છે. મેરુદંડની તમામ શિરાઓ અહી માથા સાથે જોડાયેલી છે. આ હિસ્સો એટલો સંવેદનશીલ છે કે, માનવ ખોપડીના આ ભાગનું કોઈ ઓપરેશન થઈ શક્તુ નથી. પ્રાચીન પરંપરાઓ અનુસાર, શરીરમાં બ્રહ્માંડીય ઉર્જાનો અહીથી પ્રવેશ થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભૂમધ્યમાં આજ્ઞા ચક્ર તેનુ જ પ્રતિબિંબ છે. એટલે કે, આજ્ઞાચક્ર (બંને ભમરની વચ્ચેનો ભાગ) ના એકદમ પાછળના ખોપડીના ભાગને મેરુશીર્ષ કહેવાય છે. યોગીઓના નાદનો અવાજ અહીંથી સંભળાય છે. માથાનો આ ભાગ ગ્રાહક યંત્રનું કામ કરે છે. તેથી માથા પર ચોટલી રાખવાની પ્રથા બનાવવામાં આવી છે. જે રિસીવિંગ એન્ટીનાનું કાર્ય કરે છે. શિખા ધારણ કરવાથી આ ભાગ વધુ સંવેદનશીલ થઈ જાય છે. 


યોગ અને આધ્યાત્મને સમજતા જ્યારે આધુનિક પ્રયોગ શાળામાં શોધકાર્ય કરવામાં આવ્યું, તો શિખાના વિષયમાં મોટા અને મહત્વપૂર્ણ અને રોચક વૈજ્ઞાનિક તથ્ય નીકળીને સામે આવ્યા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...