શ્રીનગર: પોલીસે કિશ્તવાડમાંથી 3 આતંકવાદીઓની ધરપકડ કરી છે. પોલીસે આ આતંકીઓના પકડાવવાથી ચાર કેસનો ઉકેલ લાવવાનો દાવો કર્યો છે. જેમાં આરએસએસ અને ભાજપના નેતાઓની હત્યા સંબંધિત મામલા પણ સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

J&K: સુરક્ષાદળોને મોટી સફળતા, કઠુઆમાંથી 40 કિલોનો વિસ્ફોટકોનો જથ્થો પકડાયો


જમ્મુ ઝોનના આઈજીપી મુકેશ સિંહે કહ્યું કે ગત એક વર્ષમાં કિશ્તવાડમાં આતંકીઓએ ચાર વારદાતને અંજામ આપ્યો. પોલીસની સતત કોશિશોના કારણે અમે ચારેય કેસનો ઉકેલ લાવ્યાં છીએ. જેમાં સીઆરપીએફ, આર્મી અને એનઆઈએ ટીમનો પણ સહયોગ મળ્યો છે. 


તેમણે કહ્યું કે અમે આ મામલાઓમાં હજુ સુધી 3 લોકોની ધરપકડ કરી છે. તેમને ચંદ્રકાન્ત શર્મા, અને તેમના પીએસઓની હત્યાના મામલે પકડવામાં આવ્યાં છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં એક નિસાલ અહેમદ શેખ પણ છે. જે ભાજપના નેતા અનિલ પરિહારની હત્યાના કાવતરામાં સામેલ હતો અને તેમની હત્યા વખતે ઘટનાસ્થળે હાજર હતો. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...