શ્રીનગરઃ Srinagar Encounter: જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આજે સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ શ્રીનગરના રામબાગમાં ત્રણ આતંકીઓને ઢેર કરી દીધા છે. આ આતંકી સામાન્ય નાગરિકોની હત્યામાં સામેલ હતા. માર્યા ગયેલા આતંકીઓમાંથી બેની ઓળખ ધ રેજિસ્ટેન્સ ફ્રંટ (TRF) ના મેહરાન અને બાસિતના રૂપમાં થઈ છે. પરંતુ તેની ઓળખને લઈને હજુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ પહેલા સુરક્ષાદળોએ 20 નવેમ્બરે હિઝબુલ મુઝાહિદીનના કમાન્ડર મુસાદિર વાગે સહિત બે આતંકીઓને ઢેર કર્યા હતા.


આ પહેલા 17 નવેમ્બરે જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં સેનાએ બે અલગ-અલગ અથડામણમાં ધ રેજિસ્ટેન્સ ફ્રંટના કમાન્ડર અફાક સિકંદર સહિત પાંચ આતંકીઓને ઠાર કર્યા હતા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube