ચેન્નાઈ: તામિલનાડુના તિરુચિરાપલ્લી જિલ્લાના એક ગામમાં ઊંડા બોરવેલમાં પડી ગયેલો બે વર્ષનો માસૂમ બાળક સુજીત વિલ્સન આખરે જિંદગીની જંગ હારી ગયો. અનેક દુઆઓ અને મહેનત બાદ પણ તેને બચાવવામાં સફળતા મળી નહીં. લગભગ 3 દિવસ બાદ બોરેવેલમાંથી સુજીતનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો. જે ખુબ ખરાબ સ્થિતિમાં હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સહિત અનેક મોટી હસ્તીઓએ સુજીતની સલામતી માટે દુઆઓ કરી હતી. પરંતુ સુજીતને બોરવેલમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી નહીં. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...