મુંબઈઃ મુંબઈને ભારતની આર્થિક રાજધાની અને સુરક્ષિત શહેર કહેવામાં આવે છે, પરંતુ છેલ્લા સાડા પાંચ વર્ષમાં મુંબઈ શહેરમાં ઈમારતો તુટી પડવાની કુલ 2,704 ઘટનાઓ ઘટી છે. આ દુર્ઘટનાઓમાં 234 લોકોને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો અને 840 લોકો ઘાયલ થયા હતા. એક RTI કાર્યકર્તા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં મુંબઈ મહાનગરપાલિકાએ આ માહિતી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઈ શહેરના RTI કાર્યકર્તા શકીલ અહેમદ શેખે મુંબઈ શહેરના આપત્તિ વ્યવસ્થાપન વિભાગ પાસેથી વર્ષ 2013થી 2018 સુધીમાં મુંબઈ શહેરમાં ઈમારતો તુટી પડવાની કેટલી ઘટના ઘટી હતી, આ દુર્ઘટનામાં કેટલા લોકોનાં મોત થયા હતા અને કેટલા લોકો ઘાયલ થયા હતા તેની માહિતી માગી હતી. આ સંદર્ભમાં મુંબઈ મહાનગરપાલિકાના આપત્તિ વ્યવસ્થાપન વિભાગે માહિતી પ્રાપ્તિ અધિકાર-2005 અંતર્ગત ઉપરોક્ત માહિતી આપી છે. 


જેના અનુસાર વર્ષ 2012થી જુલાઈ 2018 સુધી મુંબઈમાં 2,704 ઈમારતો તુટી પડી હતી. આ દુર્ઘટનામાં કુલ મળીને 234 લોકોનાં મોત થયા હતા અને 840 લોકો ઘાયલ થયા હતા. 


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....