Kashi Vishwanath Temple Varanasi: વારાસણી સ્થિત કાશી વિશ્વનાથ મંદિર પ્રશાસને એક મોટો નિર્ણય લીધો છે. મંદિર પ્રશાસને ગર્ભગૃહમાં સ્પર્શન દર્શન પર પ્રતિબંધ લગાવી દીધો છે. આગામી આદેશ સુધી કાશી વિશ્વનાથ મંદિરમાં શિવ ભક્તોને સ્પર્શ દર્શન પર રોક રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એટલા માટે લેવો પડ્યો નિર્ણય
જોકે, ગત દિવસોમાં બાબા વિશ્વનાથના અરઘામાં એક મહિલા શ્રદ્ધાળુ પડી ગઈ હતી. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે સ્પર્શ દર્શન દરમિયાન વધુ એક શ્રદ્ધાળું પડી ગયા. બે ઘટનાઓ બાદ મંદિર પ્રશાસને સ્પર્શ દર્શન પર પ્રતિબંધ લગાવી દીધો. મંદિર પ્રશાસન તરફથી એક એડવાઈઝરીના મતે, આગામી આદેશ સુધી બાબાના દર્શન માત્ર અરખા ચડાવીને અથવા ઝાંખી દ્વારા જ શક્ય બનશે. જણાવવામાં આવ્યું હતું કે 7 ઓક્ટોબરના રોજ કાશી વિશ્વનાથ મંદિરમાં સપ્તર્ષિની સાંજની આરતી અને શ્રૃંગાર આરતી દરમિયાન ગર્ભગૃહની સફાઈ દરમિયાન દરવાજો ખોલવામાં આવ્યો હતો.


લાઈવ પ્રસારણમાં કેદ થઈ ઘટના
આ દરમિયાન ભક્તોની ભીડ વધારે હોવાના કારણે એક મહિલા સહિત બે શ્રદ્ધાળુ સ્પર્શ દર્શન દરમિયાન અચાનક ગર્ભગૃહમાં પડી ગયા હતા. આ ઘટના શ્રી કાશી વિશ્વનાથ ધામના લાઈવ પ્રસારણમાં પણ કેદ થઈ હતી. મંદિર પ્રશાસને આ ઘટનામાં દોષી  કર્મચારીઓ અને અધિકારીઓની ઓળખ કરી કાર્યવાહી કરવાની વાત કરી છે. મંદિર પ્રશાસન પર ઘણા સવાલો ઉઠી રહ્યા છે. મંદિર પ્રશાસન પર વીઆઈપી લોકોને સારી રીતે સ્પર્શ દર્શન કરાવવાની વાત કહેવામાં આવી રહી છે. 


નવરાત્રિ પર ભક્તોની ભીડ વધી ગઈ
ઉલ્લેખનીય છે કે હાલના દિવસોમાં નવરાત્રિ ચાલી રહી છે. સામાન્ય દિવસોની તુલનામાં નવરાત્રિમાં કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોની સૌથી વધુ ભીડ રહે છે. 7 ઓક્ટોબરે સોમવાર હોવાના કારણે વધુ ભીડ હતી. તેના કારણે અવ્યવસ્થાની વાત કહેવામાં આવી રહી છે. આ ઘટનાને લઈને  મંદિર પ્રશાસન પણ બચાવ કરી રહ્યું છે.