નવી દિલ્હીઃ કોરોનાને લઈને સરકારે લોકોને ફરી ચેતવ્યા છે. તેમણે કહ્યું કે, જે રીતે લોકો કોઈ સાવચેતી વગર મોજ-મસ્તી કરવા માટે હિલ સ્ટેશનો પર નિકળી પડ્યા છે, તે યોગ્ય નથી. તે ન સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરી રહ્યાં છે અને માસ્ક પણ લગાવી રહ્યાં નથી. બજારોમાં ફરી ભીડ જોવા મળી રહી છે. આ ખુબ ખતરનાક છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્વાસ્થ્ય મંત્રાલયમાં સંયુક્ત સચિવ લવ અગ્રવાલે મનાલી (હિમાચલ પ્રદેશ), મસૂરી (ઉત્તરાખંડ), સદર બજાર (દિલ્હી), શિમલા (હિમાચલ પ્રદેશ), લક્ષ્મી નગર (દિલ્હી), દાદર માર્કેટની તસવીરો દેખાડી છે. જ્યાં બજારોમાં ભીડ જોવા મળી રહી છે. તો કોરોના પ્રોટોકોલનું પાલન થઈ રહ્યું નથી. 


ગુરૂવાર, 8 જુલાઈએ મોદી કેબિનેટનો થશે વિસ્તાર, 20 નવા ચહેરા થશે સામેલ!


અગ્રવાલે કહ્યુ કે, એક્ટિવ કેસ 5 લાખથી ઓછા છે. કોરોનાના મામલામાં 30 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે મહારાષ્ટ્ર, તમિલનાડુ, ઓડિશા, આંધ્ર પ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, ત્રિપુરા, મેઘાલય, સિક્કિમ જેવા રાજ્યોમાં 10 ટકાથી વધુ પોઝિટિવિટી રેટની સાથે કેસ સામે આવી રહ્યાં છે. 


દેશમાં હજુ કેટલાક જિલ્લા એવા છે જ્યાં પોઝિટિવિટી રેટ 10 ટકાથી વધુ છે. તેમાં મુખ્યરૂપથી અરૂણાચલ પ્રદેશ, રાજસ્થાન, મણિપુર, કેરલ, મેઘાલય, ત્રિપુરા, સિક્કિમ, ઓડિશા, નાગાલેન્ડમાં પોઝિટિવિટી વધુ છે. કેટલાક જિલ્લામાં વધુ સંક્રમણ જોવા મળે તો તે માનીને ચાલવું પડશે કે કેટલાક વિસ્તારમાં હજુ બીજી વેવ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube