નવી દિલ્હી: ગ્રહોનું રાશિ પરિવર્તન આપણા જીવન પર ખુબ અસર નાખે છે. જો આ પરિવર્તન ગ્રહોના રાજ સૂર્યની સ્થિતિમાં થાય તો તેની અસર અનેકગણી વધી જાય છે. સૂર્ય સફળતા, યશ, સ્વાસ્થ્ય, લીડરશીપ વગેરેનો કારક ગ્રહ છે. 14 જાન્યુઆરીના રોજ તે શનિની રાશિ મકરમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. આ બદલાવ જ્યોતિષ શાસ્ત્ર મુજબ 5 રાશિના જાતકો માટે ખુબ જ શુભ સાબિત થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ  (Aries)
મેષ રાશિ માટે સૂર્યનું ગોચર ખુબ જ શુભ સાબિત થશે. કરિયરમાં જબરદસ્ત પ્રગતિ થશે. પ્રમોશન મળશે. સરકારી ક્ષેત્ર કે રાજકારણ સાથે જોડાયેલા લોકોની કરિયર ચમકી જશે. તમારા કામોની પ્રશંસા થશે. અલગ ઓળખ સ્થાપિત થશે. 


વૃષભ (Taurus)
વૃષભ રાશિના જાતકોને કરિયરમાં સફળતા મળશે. વધેલી આવક ખુબ બચત કરાવશે. જૂની સમસ્યાઓ ખતમ થવાથી રાહતના શ્વાસ લેશો. વર્ક પ્લેસ પર તમારું પરફોર્મન્સ શાનદાર રહેશે. કોઈ સારા સમાચાર તમારું દિલ ખુશ કરી નાખશે. 


સિંહ (Leo)
સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે, આથી સૂર્યના ગોચરનું આ રાશિના જાતકો પર વધુ અસર રહેશે. પ્રમોશન, ઈન્ક્રિમેન્ટ મળવાના પ્રબળ યોગ છે. આર્થિક સ્થિતિમાં મજબૂતી આવશે. તમારા કામથી તમે બધાના મન જીતશો. તમારા મનમાં અનેક દિવસોથી જે ઈચ્છા હતી તે હવે પૂરી થઈ જશે. 


વૃશ્ચિક  (Scorpio)
નવી નોકરીની ઓફરો મળશે. સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને મોટી સફળતા મળી શકે છે. ધનલાભ થશે. બધુ મળીને આ સમય શાનદાર રહેશે. 


મીન (Pisces)
મીન રાશિના જાતકોને કરિયરમાં પદ પૈસા સાથે લોકપ્રિયતા પણ મળશે. તમે કરિયરમાં એવી ઊંચાઈઓ આંબશો જે અંગે કદી વિચાર્યું પણ નહીં હોય. રાજકારણમાં સક્રિય જાતકોને મોટું પદ મળી શકે છે. 


(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube