નવી દિલ્હીઃ તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ના સાંસદોના એક પ્રતિનિધિમંડળે સોમવારે રાષ્ટ્રીય રાજધાનીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી અને તુષાર મેહતાને સોલિસિટર જનરલના પદેથી હટાવવાની માંગ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક સંવાદદાતા સંમેલનને સંબોધિત કરતા ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ કહ્યું- અમે અત્યારે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી અને એસજી, તુષાર મેહતાના કાર્યાલય સંબંધિત મોટા અન્યાયના મામલામાં તેમને આવેદન પત્ર સોંપ્યુ છે. અમે એસજીના તત્કાલ રાજીનામાની માંગ કરીએ છીએ. એકંદર ગેરવર્તન અને અયોગ્યતાનો આધાર.


મોદી મંત્રીમંડળના વિસ્તરણ પર મોટા અપડેટ, આ નેતાઓનો થઈ શકે છે સમાવેશ 


તુષાર મેહતાને પ્રતિષ્ઠિત પદ પરથી હટાવવાની માંગ કરતા તેમણે આગળ કહ્યુ કે, મેહતાએ બાર કાઉન્સિલના નિયમો, પ્રોફેશનલ નૈતિકતાનું ઉલ્લંઘન કર્યુ છે અને તેમને હટાવવા જોઈએ. તમને જણાવી દઈએ કે ટીએમસી નેતા 1 જુલાઈએ શુભેંદુ અધિકારીની સાથે મેહતાની કથિત મુલાકાત પર સવાલ ઉઠાવી રહ્યા છે. આ પહેલા ટીએમસીએ પ્રધાનમંત્રીની સાથે તેની કથિત બેઠર પર મેહતાને સોલિસિટર જનરલના પદેથી હટાવવાની માંગ કરી હતી. 


ટીએમસીએ પોતાના પત્રમાં આરોપ લગાવ્યો કે નારદા મામલા અને શારદા ચિટફંડ કૌભાંડમાં આરોપી અધિકારીએ કેસના પરિણામને પ્રભાવિત કરવા માટે એસજીની સાથે બેઠક કરી છે. પરંતુ મેહતાએ ભાજપના નેતા સાથે બેઠકનો ઇનકાર કર્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube