એકબાજુ લોકસભા ચૂંટણી થઈ રહી છે અને બીજી બાજુ પૂર્વોત્તર રાજ્ય મણિપુરથી એક આઘાતજનક સમાચાર આવ્યા છે. કુકી અને મૈતેઈ સમુદાય વચ્ચે સંઘર્ષ સતત ચાલુ છે. મળતી માહિતી મુજબ કુકી ઉગ્રવાદીઓએ શુક્રવારે મધરાતે કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) પર ઘાત લગાવીને હુમલો કર્યો. જેમાં બે CRPF જવાનો શહીદ થયા છે. 


આ અંગે વધુ જાણકારી આપતા મણિપુર પોલીસે જણાવ્યું કે શુક્રવારે મોડી રાતે લગભગ સવા બે વાગ્યાની વચ્ચે કુકી ઉગ્રવાદીઓએ કરેલા હુમલામાં CRPF ના બે જવાનોના મોત થયા. આ બંને જવાનો મણિપુરના બિષ્ણુપુર જિલ્લાના નારાનસેના વિસ્તારમાં તૈનાત CRPF ની 128મી બટાલિયનના હતા. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube