શ્રીનગર: પાકિસ્તાન (Pakistan) પોતાની નાપાક હરકતોમાંથી બહાર આવતું નથી. પાકિસ્તાને ફરીથી એકવાર યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. આ વખતે પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરના કૂપવાડામાં એલઓસી પર ફાયરિંગ કર્યું છે. પાકિસ્તાનના ફાયરિંગમાં બે જવાનો શહીદ થયા છે. જ્યારે એક નાગરિકનું મોત થયું છે. ફાયરિંગમાં 3 ભારતીય નાગરિકો પણ ઘાયલ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુપી, ગુજરાત બાદ હવે કમલેશ તિવારી હત્યાકાંડનું મહારાષ્ટ્ર કનેક્શન? 


પાકિસ્તાન તરફથી ગત રાતના 10 વાગ્યાથી ફાયરિંગ શરૂ  થયું હતું જે સવારે 4 વાગ્યા સુધી ચાલ્યું. પાકિસ્તાનના ફાયરિંગમાં અનેક મકાનોને નુકસાન થયું છે. ભારતીય સુરક્ષાદળોએ પાકિસ્તાનના ફાયરિંગનો જડબાતોડ જવાબ આપ્યો છે. 


આ બાજુ જમ્મુમાં કઠુઆના હીરાનગર સેક્ટરમાં પાકિસ્તાન ગત રાતથી જ ફાયરિંગ કરી રહ્યું છે. ભારતીય સુરક્ષા દળો પાકિસ્તાનના ફાયરિંગનો જડબાતોડ જવાબ આપી રહી છે. આ અગાઉ પણ 15 ઓક્ટોબરના રોજ પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખાની નજીક સંઘર્ષ વિરામનો ભંગ કર્યો છે. ફાયરિંગની ઘટના પૂંછ જિલ્લાના કસ્બા અને કિરણી સેક્ટરોમાં ઘટી હતી. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...