મુંબઈ: મહારાષ્ટ્ર (Maharashtra) માં સતત વધી રહેલા કોરોના (Corona Virus) સંક્રમણે ચિંતા વધારી દીધી છે. સરકારે અનેક જગ્યાએ લોકડાઉન લગાવવાનો નિર્ણય લેવો પડ્યો. મુંબઈ (Mumbai) માં પણ સ્થિતિ સારી નથી. સરકાર લોકડાઉન (Lockdown) કે નાઈટ કરફ્યૂ જેવા આકરા નિર્ણય પર વિચાર કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેબિનેટ મંત્રીએ આપ્યું આ નિવેદન
ઉદ્ધવ ઠાકરે સરકારમાં કેબિનેટ મંત્રી અસલમ શેખે (Aslam Shaikh) કહ્યું કે મુંબઈમાં જે રફતારથી કોવિડ-19ના કેસ વધી રહ્યા છે તે જોતા નાઈટ કરફ્યૂ કે કેટલાક વિસ્તારોમાં લોકડાઉન (Lockdown) ની શક્યતાઓને નકારી શકાય નહીં. વિધાન ભવન પરિસરમાં પત્રકારો સાથે વાતચીત કરતા અસલમ શેખે કહ્યું કે અધિકારીઓને લોકડાઉન પર નિર્ણય લેવાનો અધિકાર આપવામાં આવ્યો છે એટલે કે અધિકારી પોતાની સમજથી લોકડાઉન પર નિર્ણય લઈ શકે છે. 


બીચ પર મસ્તી કરી શકો નહીં
મંત્રી અસલમ શેખે કહ્યું કે જો કોવિડ-19 સંક્રમણની ઝડપ આ રીતે ચાલુ રહી તો શહેરમાં નાઈટ ક્લબો બંધ થવાની શક્યતા છે. અમે નાઈટ કરફ્યૂ કે આંશિક લોકડાઉનની સંભાવનાથી ઈન્કાર કરી શકીએ નહીં. શેખે કહ્યું કે કોરોના પ્રોટોકોલનું કડકાઈથી પાલન કરવામાં આવી રહ્યું છે. માસ્ક ન પહેરનારાઓ પર કાર્યવાહી થઈ રહી છે. તેમણે કહ્યું કે ગેટવે ઓફ ઈન્ડિયા અને સમુદ્ર તટો પર લોકોની અવરજવર રોકી દેવાઈ છે. 


દરરોજ આવી રહ્યા છે 1000થી વધુ કેસ
અત્રે જણાવવાનું કે મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસથી સતત દરરજોના 1000થી વધુ કોરોના કેસ સામે આવી રહ્યા છે. અધિકૃત આંકડા મુજબ મુંબઈમાં અત્યાર સુધીમાં 3,34,583 કોવિડ કેસ સામે આવ્યા છે. કોરોનાથી 11508 લોકોના મોત થઈ ચૂક્યા છે. 


BJP માં જોડાતાની સાથે જ મિથુન ચક્રવર્તીએ ઉચ્ચારેલો એક શબ્દ ચર્ચાના ચગડોળે ચઢ્યો


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube