નવી દિલ્હીઃ ભારત સરકારનું કહેવું છે કે બ્રિટને કોરોના વેક્સિન કોવિશીલ્ડને માન્યતા ન આપીને ભેદભાવપૂર્ણ વલણ અપનાવ્યું છે. સાથે તે પણ કહ્યું કે, જો તેનું કોઈ સમાધાન નિકળશે નહીં તો જવાબી કાર્યવાહી કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ આજે કહ્યુ કે, યૂકે સરકારનો કોવિશીલ્ડને માન્યતા ન આપવાનો નિર્ણય 'ભેદભાવપૂર્ણ' છે. તેમણે તે પણ કહ્યું કે, "પારસ્પરિક ઉપાય કરવાનો અધિકાર" ની અંદર આવે છે. તેમણે આગળ કહ્યું- કોવિશીલ્ડની બિન-માન્યતા એક ભેદભાવપૂર્ણ નીતિ છે અને યૂકેની યાત્રા કરનાર આપણા નાગરિકોને પ્રભાવિત કરે છે. વિદેશ મંત્રીએ બ્રિટનના નવા વિદેશ સચિવ સમક્ષ આ મુદ્દાને મજબૂતીથી ઉઠાવ્યો છે. મને જણાવવામાં આવ્યું છે કે આશ્વાસન આપવામાં આવ્યું કે, આ મુદ્દાનો ઉકેલ લાવવામાં આવશે. 


મુંબઇમાં કપડાં કાઢીને કિન્નરોનો આતંક, પોલીસને પણ છોડ્યા નહી, જાણો પછી શું થયું


ભારતના મોટાભાગના લોકોએ લીધી છે કોવિશીલ્ડ
ભારતમાં મોટાભાગના લોકોને કોવિશીલ્ડ વેક્સીન લાગી છે. આ બ્રિટનની એસ્ટ્રાઝેનેકા વેક્સીનનું ભારતીય વર્ઝન છે. તેને ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાએ બનાવી છે, તેમ છતાં ભારતને આ યાદીમાંથી બહાર રાખવામાં આવ્યું છે. બ્રિટનમાં નેશનલ ઈન્ડિયન સ્ટૂડન્ટ એન્ડ એલુમનાઈ યૂનિયન (એઆઈએસએયૂ) ના અધ્યક્ષ સનમ અરોડાએ કહ્યુ- ભારતીય વિદ્યાર્થીઓ તે વાતથી પરેશાન છે કે તેમને લાગે છે કે આ એક ભેદભાવપૂર્ણ પગલું છે કારણ કે અમેરિકા અને યૂરોપીય સંઘના તેમના સમકક્ષોની તુલનામાં તેમની સાથે અલગ વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube