નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ત્રણ કૃષિ કાયદાને પરત લેવા પર ઉમા ભારતી ચોકી ગયા છે. ઉમા ભારતીએ આજે ટ્વીટ કર્યું કે જ્યારે પ્રધાનમંત્રીએ કૃષિ કાયદાની વાપસીની જાહેરાત કરી તો હું ચોકી ગઈ. આમ તો પીએમની જાહેરાત બાદ તમામ ભાજપ નેતાઓની ટિપ્પણીઓ આવી છે. પરંતુ આ પ્રથમવાર છે જ્યારે કોઈ ભાજપ નેતાએ સોશિયલ મીડિયા પર આ નિર્ણય પર ટિપ્પણી કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉમા ભારતીએ ટ્વિટર પર ટૂ થ્રેડ પોસ્ટ કરી છે. તેમણે લખ્યું કે, છેલ્લા ચાર દિવસથી વારાણસીમાં ગંગા કિનારે છું. 19 નવેમ્બર 2021ના આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારે ત્રણ કૃષિ કાયદાની વાપસીની જાહેરાત કરી તો હું અવાચક રહી ગઈ. તેથી 3 દિવસ બાદ પ્રતિક્રિયા આપી રહી છું. ઉમા ભારતીએ આગળ લખ્યુ કે પ્રધાનમંત્રીએ કાયદાની વાપસી કરવા સમયે જે કહ્યું તે મારા જેવા લોકોને ખુબ વ્યથિત કરી ગયું. 


મોદીના મંત્રીએ કહ્યું- ઘરે પરત ફરે કિસાન, સંસદના આગામી સત્રમાં MSP પર પણ વિચાર કરશે સરકાર


ખેડૂતોની ખેતી, આદિવાસીઓનું જંગલ
ઉમાએ વધુમાં ટ્વિટ કર્યું છે કે મારા મોટા ભાઈ અમૃતસિંહ લોધી હંમેશા મને કહે છે કે ખેતી એક સ્થાવર મિલકત છે અને ખેતી એ અખંડ સમૃદ્ધિનો પ્રવાહ છે પરંતુ ખેડૂત ક્યારેય અમીર બની શકતો નથી. હું મારા જન્મથી જ મારા ભાઈ અમૃતસિંહ લોધીનું જીવન જોઈ રહી છું. ઉમા આગળ લખે છે કે મને જે સમજાયું તે આ છે. ખાતર, બિયારણ અને વીજળી સમયસર મેળવવાનો અને પોતાની ઈચ્છા મુજબ અનાજ વેચવાનો અધિકાર એ સમૃદ્ધિનું સૂત્ર બની શકે છે. ખેતી ખેડૂતોની છે, તળાવ માછીમારોનું છે, મંદિરો પૂજારીઓ માટે છે, જંગલો આદિવાસીઓના છે અને દુનિયા ભગવાનની છે. વચ્ચે બીજું કોઈ નહીં આવે તો બધું સારું થઈ જશે, આ વાતો વધુ વિગતે ક્યારેક કહીશ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube