ભોપાલ: મધ્ય પ્રદેશના ભોપાલ સંસદીય મતવિસ્તારથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બનાવવાની અટકળો વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ ટ્વિટ કર્યું કે ભોપાલની જનતા દિગ્વિજય સિંહને હરાવવા માટે બેતાબ છે. તેમણે કહ્યું કે સિંહને તો ભાજપના કાર્યકર્તાઓ જ હરાવી દેશે. ઉમાએ રવિવારે અનેક ટ્વિટ કરી. તેમણે કહ્યું કે ભોપાલથી ઉમેદવાર નક્કી કરવાનો હક મારી પાસે નથી. તેનો નિર્ણય પાર્ટીની સંસદીય ટીમ કરે છે. પરંતુ એક વાતનું ધ્યાન રાખવું પડશે કે દિગ્વિજય સિંહને હરાવવા એ બિલકુલ મુશ્કેલ વાત નથી. હવે હું તમને ભૂતકાળ યાદ કરાવું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હોશંગાબાદથી સરતાજ સિંહ સામે પૂર્વ મુખ્યમંત્રી અર્જૂન સિંહ ચૂંટણી હારી ગયા હતાં
ભાજપના ડો.લક્ષ્મીનારાયણ પાંડે સામે મધ્ય પ્રદેશના તે સમયના મુખ્યમંત્રી કૈલાશ નાથ કાટ્જૂ વિધાનસભાની ચૂંટણી હારી ગયા હતાં. તેમણે વધુમાં લખ્યું કે, 'સુમિત્રા મહાજન સામે 1989ની લોકસભા ચૂંટણીમાં ઈન્દોરના પૂર્વ મુખ્યમંત્રી પી.સી.સેઠી હારી ગયા હતાં. ત્યારબાદ સતનામાં કુશવાહા સામે તથા હોશંગાબાદમાં સરતાજ સિંહ સામે પૂર્વ મુખ્યમંત્રી અર્જૂન સિંહ ચૂંટણી હારી ગયા હતાં. '


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...