Unemployment Rate India: કોરોના મહામારીની સૌથી વધુ અસર લોકોના ધંધા-રોજગાર પર પડ્યો છે. જો કે, હવે સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. શહેરી વિસ્તારમાં 15 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના વ્યક્તિઓ માટે બેરોજગારી દર ઓક્ટોબર-ડિસેમ્બર 2021 માં ઘટી 8.7 ટકા થઈ ગયો છે. આ આંક્ડો ગત વર્ષે આ સમયગાળામાં 10.3 ટકા હતો. નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસના એક ચોક્કસ સમય પર થતા લેબર ફોર્સ સર્વેમાં આ જાણકારી સામે આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશમાં કોરોના મહામારીને રોકવા માટે લાગુ કરવામાં આવેલા પ્રતિબંધોને કારણે ઓક્ટોબર- ડિસેમ્બર 2020 માં બેરોજરાગી દર ઘણો વધારે હતો. એનએસઓના 13 સામયિક લેબર ફોર્સ સર્વે અનુસાર જુલાઈ- સપ્ટેમ્બર 2021 માં શહેરી વિસ્તારોમાં બેરોજગારી દર 9.8 ટકા હતો. સર્વે અનુસાર શહેરી વિસ્તારોમાં મહિલાઓમાં બેરોજગારી દર ઓક્ટોબર-ડિસેમ્બર 2021 માં ઘટી 10.5 ટકા થઈ ગયો હતો. જે એક વર્ષ પહેલા આ સમયગાળામાં 13.1 ટકા હતો. આ આંકડા જુલાઈ-સપ્ટેમ્બર 2021 માં 11.6 ટકા હતો.


પુરુષોમાં બેરોજગારી દર પણ ઓક્ટોબર-ડિસેમ્બર 2021 માં ઘટી 8.3 ટકા થઈ ગયો હતો. જે એક વર્ષ પહેલા આ સમયગાળામાં 9.5 ટકા હતો. આ આંકડા જુલાઈ-સપ્ટેમ્બર 2021 માં 9.3 ટકા હતો. શહેરી વિસ્તારમાં સીડબ્લ્યુએસમાં લેબર ફોર્સ ભાગીદારી દર ઓક્ટોબર ડિસેમ્બર 2021 ત્રણ મહિનામાં તેનાથી એક વર્ષ પહેલા આ સમયગાળાની સરખામણીમાં 47.3 ટકા પર યથાવત રહ્યો. જુલાઈ-સપ્ટેમ્બર 2021 માં આંકડો 46.9 ટકા હતો. ઉલ્લેખનીય છે કે, કુલ કાર્યબળમાં બેરોજગાર વ્યક્તિઓના ટકાને બેરોજગારી દર કહેવામાં આવે છે.
(ઇનપુટ ભાષા)


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube