નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona Virus) ના વધતા સંક્રમણ વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને આજે  દિલ્હીમાં એમ્સના ડોક્ટરો સાથે ચર્ચા કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે આ વખતે કોરોના વાયરસની રફ્તાર તેજ છે. પરંતુ અમે લડત માટે પહેલા કરતા વધુ તૈયાર છીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડો.હર્ષવર્ધને ટ્રોમા સેન્ટરની પણ મુલાકાત લીધી
સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને કોરોના વાયરસ સામેની લડત માટેની તૈયારીઓની સમીક્ષા કરી. આ દરમિયાન તેમણે એમ્સના ડાઈરેક્ટર ડો.રણદીપ ગુલેરીયાસાથે હોસ્પિટલમાં ઉપલબ્ધ સ્વાસ્થ્ય સુવિધાઓ અને હાલાતની સમીક્ષા કરી. સ્વાસ્થ્ય મંત્રીએ ટ્રોમા સેન્ટરની પણ મુલાકાત લીધી. ડોક્ટર હર્ષવર્ધને કહ્યું કે સરકાર પાસે કોરોના વિશે એક વર્ષનો અનુભવ છે. આથી કોરોના સામેની લડતમાં પહેલા કરતા વધુ તૈયાર છીએ. 


રાહુલે રણનીતિને લઈને સરકાર પર સાધ્યું નિશાન
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોવિડ-19 મહામારીથી પહોંચી વળવાની રણનીતિને લઈને શુક્રવારે કેન્દ્ર પર નિશાન સાધ્યું. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે કેન્દ્ર સરકારની કોવિડ રણનીતિ પહેલો તબક્કો-તઘલખી લોકડાઉન લગાવો, બીજો તબક્કો-ઘંટી વગાડો, ત્રીજો તબક્કો પ્રભુના ગુણ ગાઓ. 


Corona ના નવા બે લક્ષણ સામે આવ્યા, જરાય નજરઅંદાજ ન કરતા


MP: વોર્ડ બોયે કોરોના દર્દીનો ઓક્સિજન સપોર્ટ કાઢી નાખ્યો, દર્દી મોતને ભેટ્યો, CCTVમાં ઘટના કેદ


Coronavirus: ભારતમાં Double Mutant Virus એ મચાવ્યો છે હાહાકાર!, જાણો કેમ આટલો જોખમી છે આ નવો સ્ટ્રેન?


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube