શ્રીનગરઃ કેન્દ્રીય અલ્પસંખ્યક મામલાના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવી (Mukhtar Abbas Naqvi) બુધવારે શ્રીનગરના (Srinagar) લાલ ચોક (Lal Chowk) પહોંચ્યા અને તેમણે લોકો સાથે વાતચીત કરી હતી. નકવી લાલ ચોક પર થોડા સમય માટે રોકાયા ત્યાં તેમણે સ્થાનિક લોકો અને દુકાનદારો સાથે ચર્ચા કરી હતી. તેમણે લોકોની તે સમસ્યાઓ જાણવાનો પ્રયત્ન કર્યો, જેનો તે સામનો કરી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નકવીએ કહ્યું, 'સકારાત્મક માહોલ છે અને સરકાર લોકો વચ્ચે સંવાદ સ્થાપિત કરી સકારાત્મકતા ફેલાવી રહી છે. તેમણે કહ્યું, અમે પરિવર્તનનું એક મજબૂત વાતાવરણ બનાવવા માટે કામ કરી રહ્યાં છીએ.'


કેન્દ્રીય અલ્પસંખ્યક કાર્ય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે, કાશ્મીરને કોઈની નજર લાગી ગઈ હતી અને ભ્રષ્ટાચાર તથા કુવ્યવસ્થાને કારણે કેન્દ્રીની યોજના કાશ્મીર સુધી પહોંચી શકતી નહતી, પરંતુ હવે ફેરફાર થઈ રહ્યો છે. કેન્દ્રના પૈસા પહોંચી રહ્યાં છે અને વિકાસ થઈ રહ્યો છે. શ્રીનગરના હરવાનમાં ખંડ વિકાસ કાર્યાલયમાં મંગળવારે એક જનસભાને સંબોધિત કરતા નકવીએ કહ્યું, 'કાશ્મીર વિશે કહેવામાં આવ્યું છે કે, 'ગર ફિરદોસ બર રૂયે જમી અસ્ત/હમી અસ્તો હમી અસ્તો હમી અસ્તો' (ધરતી પર ક્યાંય સ્વર્ગ છે તો અહીં છે અહીં છે અહીં છે).' આ ધરતીના સ્વર્ગને છેલ્લા ઘણા દાયકાથી ભ્રષ્ટાચારે નુકસાન પહોંચાડ્યું છે. પરંતુ કલમ 370 હટ્યા બાદ આજે કાશ્મીરમાં વિકાસ અને વિશ્વાસનો મજબૂત માહોલ છે. 


ચંદ્રયાન-3 પર કામ શરૂ, ભારતીય મોડ્યૂલમાં જશે ભારતીય અવકાશયાત્રીઃ ઇસરો પ્રમુખ


નકવીએ કહ્યું, 'આયુષ્માન ભારત યોજના હેઠળ કાશ્મીરના લગભગ 15 લાખ લોકોનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન કિસાન સન્માન નિધિ હેઠળ 8.20 લાખ કિસાનોને લાભ આપવામાં આવ્યો છે. જન ધન યોજનાનો લાભ 23.26 લાખ જરૂરીયાતોને પહોંચાડવામાં આવ્યો છે. આશરે 1.50 લાખ વિદ્યાર્થીઓને વિભિન્ન શિષ્યવૃત્તિ આપવામાં આવી છે.'


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...