નવી દિલ્હી: કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી પ્રહ્લાદ પટેલ(Prahlad Patel) એ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) અને ઉપરાજ્યપાલ અનિલ બૈજલને પત્ર લખ્યો છે. પ્રહ્લાદ પટેલે કેજરીવાલની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાષ્ટ્રીય ધ્વજ તિરંગાને ખોટી રીતે લગાવવાને લઈને સવાલ ઉઠાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'બેકગ્રાઉન્ડમાં લાગેલો તિરંગો સંહિતાની રીતે યોગ્ય નથી'
પ્રહ્લાદ પટેલના પત્રમાં કહેવાયું છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બેકગ્રાઉન્ડમાં જે તિરંગો લાગ્યો છે તે તિરંગો સંહિતાની રીતે યોગ્ય નથી. આ ભૂલને તરત સુધારવામાં આવે.


તિરંગાનું અપમાન કરી રહ્યા છે દિલ્હીના સીએમ- પ્રહ્લાદ પટેલ
Zee News સાથે વાત કરતા સંસ્કૃતિ મંત્રી પ્રહ્લાદ પટેલે કહ્યું કે 'અરવિંદ કેજરીવાલના બેકગ્રાઉન્ડમાં જે પ્રકારે લીલા રંગને દેખાડવામાં આવ્યો છે તે જોઈને એવું લાગે છે કે સફેદ ભાગને ઓછો કરીને લીલા રંગને જોડવામાં આવ્યો છે. જે રાષ્ટ્રીય ધ્વજ સંહિતાનો ભંગ છે. દિલ્હીના મુખ્યમંત્રી ભારતીય તિરંગાનું અપમાન કરી રહ્યા છે.' 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube