મૈનપુરી: સમાજવાદી પાર્ટી (SP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે આજે (સોમવારે) મૈનપુરીની કરહાલ વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. પરંતુ આ દરમિયાન ભાજપે મોટો દાવ લગાવ્યો છે. કેન્દ્રીય કાયદા રાજ્ય મંત્રી એસપી સિંહ બઘેલે પણ કરહાલ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. તેઓ કરહાલથી ભાજપના ઉમેદવાર હશે અને અખિલેશ યાદવને પડકાર આપશે. એસપી સિંહ બઘેલ આગ્રાના સાંસદ પણ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કરહાલથી જીતશે ભાજપ!
કરહાલથી કેન્દ્રીય મંત્રી એસપી સિંહ બઘેલને ઉમેદવાર બનાવ્યા પછી યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ ટ્વિટ કર્યું, 'કરહાલથી ભાજપ જીતશે, પ્રો એસપી સિંહ બઘેલ, 2022માં કરહાલથી હારશે યાદવ અખિલેશ, જીતશે ભાજપ, ખીલશે કમળ. રહેશે સુશાસન, થતો રહેશે વિકાસ.

કેંદ્રીય મંત્રીએ આપ્યું નિવેદન, કહ્યું- 2024 સુધી ભારતનો ભાગ બની જશે PoK


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube