નવી દિલ્હીઃ ભારતમાં સતત વધી રહેલી કોરોના વાયરસની અસર વચ્ચે સોમવારે એકવાર ફરી કેન્દ્રીય પ્રધાન હર્ષવર્ધને સમીક્ષા બેઠક યોજી હતી. કેન્દ્રીય પ્રધાન પ્રમાણે આ વાયરસની ઝપેટમાં 60થી વધુ દેશ છે અને તેવામાં બહારથી આવતા લોકોની તપાસ કરવામાં આવી રહી છે. સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ, ઉપરાજ્યપાલ અનિલ બૈજલની સાથે બેઠક કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેઠક બાદ કેન્દ્રીય પ્રધાન હર્ષવર્ધને જાણકારી આપી કે અત્યાર સુધી ભારતમાં કોરોના વાયરસના 43 કેસ સામે આવ્યા છે, તેમાંથી ત્રણ સ્વસ્થ થઈ ચુક્યા છે. દેશના અલગ-અલગ ભાગમાં તપાસ શરૂ કરવામાં આવી રહી છે અને લોકોને તેનાથી બચવાની સલાહ આપવામાં આવી રહી છે. હાલ દેશમાં કોરોના વાયરસની તપાસ કરવા માટે 46 લેબ ચાલું છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...