નવી દિલ્હી: દિલ્હીની એક કોર્ટે ઉન્નાવ દુષ્કર્મ પીડિતાના પિતાના મોતના મામલે કુલદીપસિંહ સેંગર સહિત 7 દોષિતોને 10-10 વર્ષની સજા સંભળાવી છે. આ સાથે જ આરોપીઓ પર 10-10 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અગાઉ ગુરુવારે કોર્ટે ઉન્નાવ દુષ્કર્મ પીડિતાના પિતાના મોતના મામલે સજા સંભળાવવા મુદ્દે પોતાનો ચુકાદો 13 માર્ચ પર અનામત રાખ્યો હતો. ગુરુવારે કાર્યવાહી દરમિયાન સીબીઆઈએ સાતેય દોષિતો માટે વધુમાં વધુ સજાની માગણી કરી હતી. 


સરકારી વકીલે કોર્ટને કહ્યું હતું કે તેમને વધુ સજા મળવી જોઈએ  કારણ કે એક નિર્દોષ વ્યક્તિને ખુબ માર મારીને મારી નાખવામાં આવ્યો. તેમણે એક જઘન્ય અપરાધ કર્યો. આ બાજુ દોષિતોના વકીલે સજા ઓછી કરવાની ભલામણ કરી હતી. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...