લખનઉ: યૂપી ચૂંટણીમાં ત્રીજા ચરણનું મતદાન થનાર છે. તેના પહેલા બીજેપીએ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પર આતંકીઓ પ્રતિ નરમાશનું વલણ રાખવાનો આરોપ લગાવ્યો. બીજેપીના આ શાબ્દિક હુમલા પછી પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ શિવપાલ સિંહ યાદવ પોતાના ભત્રીજાના પક્ષમાં ખૂલીને સામે આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભત્રીજાને બચાવવા આગળ આવ્યા શિવપાલ સિંહ યાદવ
શિવપાલ સિંહ યાદવે જણાવ્યું હતું કે, એક સીએમ તરીકે એવું ના કહેવું જોઈએ કે બુલડોઝર ચાલશે, આ પદની ગરિમા વિરુદ્ધ છે. વિધાનસભાની ચૂંટણીના પરિણામ બીજેપીને શાંત કરી દેશે. અમારું ગઠબંધન 300થી વધુ બેઠકોને પાર કરશે. બીજેપીએ માત્ર મંદિર/મસ્જિદની વાત કરી. પ્રદેશમાં હિન્દુ/મુસલમાન, કોઈનો વિકાસ થયો નથી.



સપા ગઠબંધન તમામ સીટો પર જીત હાંસલ કરશે
શિવપાલ સિંહ યાદવે જણાવ્યું હતું કે, સપા ગઠબંધન આસપાસની તમામ સીટો પર જીત હાંસલ કરશે. બીજેપી કોશિશ કરશે પરંતુ કંઈ કરી શકશે નહીં. છેલ્લાં 5 વર્ષોમાં માત્ર સમસ્યાઓ હતી, તે પછી દેશમાં ફૂગાવાની હોય, બેરોજગારી, ભ્રષ્ટાચાર હોય કે વિજળી.. અમે પશ્ચિમ યૂપીમાં લગભગ 50/58 બેઠકો જીતીશું. જ્યારે મધ્ય યૂપીમાં 45-50 બેઠકો અમને મળવા જઈ રહી છે.


અમદાવાદ બ્લાસ્ટ પર બીજેપીએ SPને ઘેર્યું
અગાઉ બીજેપી એ એસપી પર શાબ્દિક હુમલો કરતા સમાજવાદી પાર્ટી પર નિશાન સાધ્યું. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યુ કે એસપીનો હાથ આતંકીઓ સાથે છે. જે લોકોને અમદાવાદ બ્લાસ્ટમાં દોષિત ઠેરવ્યા છે. તેમાંથી એક આતંકીના પિતાની સાથે અખિલેશ યાદવનો ફોટો છે. જ્યારે યૂપીના ગૌરીગંજમાં જનસભાને સંબોધિત કરતા બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ જણાવ્યું કે અખિલેશ યાદવની સરકારમાં લગભગ 200 રમખાણો થયા અને ઉત્તર પ્રદેશને 300 વખત બંધ કરવામાં આવ્યું. જ્યારે યોગી આદિત્યનાથની સરકારમાં છેલ્લાં 5 વર્ષોમાં રાજ્યમાં કોઈ રમખાણ થયું નથી.


'યુપીના લોકોની સુરક્ષાની ભાવના સૌથી મહત્વપૂર્ણ'
સીતાપુરમાં જનસભાને સંબોધન કરતા સીએમ યોગી આદિત્યનાથે જણાવ્યું છે કે, યુપીના લોકોમાં સુરક્ષાની ભાવના સૌથી મહત્વપૂર્ણ છે. કોઈપણ વિકાસ કાર્ય સુરક્ષા વિના અધૂરું છે. ડબલ એન્જિન સરકાર એ સુનિશ્ચિત કરશે કે રાજ્યમાં દરેક વ્યક્તિ સુરક્ષિત છે. તેમણે આરોપ લગાવ્યો કે સપા સરકાર માત્ર એક વર્ગ અને એક બંધુત્વના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. રાજ્યના બાકીના લોકોને તેમની પોતાની શરતો પર છોડી દેવામાં આવ્યા હતા. ભાજપ સરકારમાં આવા દલિત લોકોના વિકાસના કામો થયા છે.


'આપણા બાબા સીએમને કંઈ ખબર નથી'
અમદાવાદ બ્લાસ્ટના આતંકવાદીઓ સાથે સંબંધ હોવાના આરોપને સપા પ્રમુખ અખિલેશ યાદવે અવગણ્યો હતો. સીએમ યોગી પર વળતો પ્રહાર કરતા તેમણે કહ્યું, 'આપણા બાબા સીએમ પણ અદ્ભુત છે. તે ના તો પહેલા કંઈ જાણતા હતા અને ના તો હવે તે કંઈ જાણે છે. યુપીની ચૂંટણી ખેડૂતોના અધિકાર, યુવાનોને રોજગાર અને રાજ્યના વિકાસ માટે છે.


'ભાજપની નીતિઓથી ખેડૂતોને નુકસાન'
ભાજપ પર પ્રહાર કરતા અખિલેશ યાદવે જણાવ્યું છે કે, 'આશિષ મિશ્રાને જનતાની કોર્ટમાંથી જામીન નહીં મળે. તેમની (ભાજપ) નીતિઓને કારણે ખેડૂતો અને તેમના પરિવારોને ઘણું નુકસાન થયું છે, તેનાથી ભાજપની હાર થશે. લખીમપુર ખેરીની ઘટના સ્વતંત્ર ભારતમાં જલિયાવાલા બાગની ઘટનાની યાદ અપાવે છે.