નવી દિલ્હી : ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અલી-બજરંગ બલી વિવાદ અંગે પોતાનો જવાબ ચૂંટણી પંચને સોંપી દીધો છે. પોતાનાં જવાબમાં યોગી આદિત્યનાથે કહ્યું કે, તેઓ ભવિષ્યમાં આવું નિવેદન નહી આફે. યુપી સીએમએ ચૂંટણી પંચને મોકલેલા જવાબમાં કહ્યું કે, તેઓ ભવિષ્યમાં આવા નિવેદન આપવાથી દુર રહેશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 10 એપ્રીલે મેરઠમાં એક ચૂંટણી સભામાં કહ્યું કે, જો કોંગ્રેસ, બસપા અને સપાને અલી પર વિશ્વાસ છે તો તેમને બજરંગ બલી પર વિશ્વાસ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

JDU અને RJD વિલયનો પ્રસ્તાવ લઇને આવ્યા હતા પ્રશાંત કિશોર: રાબડી દેવીનો દાવો

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ચૂંટણી પંચને કહ્યું કે, અલી બજરંગબલી વાળા નિવેદન પર તેમની મંશા ખોટી નથી. મુખ્યમંત્રીએ કહ્યું કે, પંચના વિરોધ અને નોટિસ બાદ તેઓ પંચને વિશ્વાસ અપાવે છે કે વભિષ્યમાં તેનું સંપુર્ણ ધ્યાન રાખશે. હવે ચૂંટણી પંચ નક્કી કરશે કે તેઓ યોગી આદિત્યનાથનાં જવાબથી સંતુષ્ટ નથી. 


પશ્ચિમ બંગાળમાં જરૂર કંઇક ગંભીર ચાલી રહ્યું છે: સુપ્રીમે સુનવણીની માંગ સ્વિકારી


રાજદ્રોહના કાયદાને વધારે કડક બનાવીશું, જેથી તે મુદ્દે તેઓ થથરી ઉઠે: રાજનાથ

માયાવતી-અખિલેશની રેલીથી ચાલુ થયો હતો વિવાદ
લોકસભા ચૂંટણી 2019માં અલી- બજરંગબલી વિવાદની એન્ટ્રી મેરઠમાં 10 એપ્રીલથી જરૂર થઇ, પરંતુ આ વિવાદનું બેકગ્રાઉન્ડ યુપીનાં દેવબંધમાં 7 એપ્રીલે માયાવતી-અખિલેશ અને અજિત સિંહની રેલીમાં જોડાયા છે. આ રેલીમાં બસપા સુપ્રીમો માયાવતીએ મુસ્લિમ મતદાતાઓને ચેતવણી આપતા કહ્યું કે, તોઇ પણ સ્થિતીમાં તમારા મત વહેંચાવા ન દેતા. માયાવતીએ કહ્યું કે, કોંગ્રેસ આ સ્થિતીમાં નથી કે ભાજપને પડકારી શકે, જ્યારે ભાજપને જોરદાર ટક્કર દેવાની સ્થિતીમાં છે, મુસલમાનોએ પોતાનાં મત વહેંચાવા ન દેવા જોઇએ.