નવી દિલ્હી:ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા માટે પ્રધાનમંત્રીના અધિકૃત નિવાસ સ્થાન 7 લોકકલ્યાણ માર્ગ પહોંચ્યા. બંને નેતાઓ વચ્ચે લગભઘ દોઢ કલાક સુધી વાતચીત થઈ. આ દરમિયાન અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ. પીએમ મોદી સાથે મુલાકાત કર્યા બાદ સીએમ યોગી આદિત્યનાથ ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાને મળા માટે તેમના ઘરે પહોંચ્યા છે. અત્રે જણાવવાનું કે યોગી આદિત્યનાથે ગુરુવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. સીએમ યોગીના બે દિવસના દિલ્હી પ્રવાસથી રાજકીય ગરમાવો આવી ગયો છે. 


કેબિનેટ વિસ્તારથી લઈને વિધાનસભા ચૂંટણી પર ચર્ચા?
યોગી આદિત્યનાથનું દિલ્હી પહોંચવું અને અમિત શાહ ઉપરાંત પીએમ મોદી અને જેપી નડ્ડાને મળવું...તેનાથી અનેક પ્રકારની અટકળો થઈ રહી છે. જ્યાં એક બાજુ કહેવાય છે કે યુપી કેબિનેટમાં વિસ્તારને લઈને આ મુલાકાત થઈ રહી છે, ત્યાં બીજી બાજુ એવી પણ વાત સામે આવી રહી છે કે ભાજપે આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી માટે મહામંથન શરૂ કરી દીધુ છે. જો કે પાર્ટી તરફથી અધિકૃત રીતે કશું જણાવવામાં આવ્યું નથી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube