નવી દિલ્હી/લખનઉઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી બાદ વિધાન પરિષદમાં પણ ભાજપને પ્રચંડ જીત મળી છે. ભાજપે 36માંથી 33 સીટો પર જીત હાસિલ કરી છે. આ જીતને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપના વિકાસ મોડલની જીત ગણાવી છે. તેમણે કહ્યું કે, આ જીત એકવાર ફરી ભાજપના વિકાસ મોડલ પર જનતા જનાર્દનના વિશ્વાસની અભિવ્યક્તિ છે. 


પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને લખ્યું, 'ઉત્તર પ્રદેશ વિધાન પરિષદની ચૂંટણીમાં તમામ વિજયી ઉમેદવારોને શુભેચ્છા. આ જીત એકવાર ફરી ભાજપના વિકાસ મોડલ પર જનતા-જનાર્દનના વિશ્વાસની અભિવ્યક્તિ છે. યોગી આદિત્યનાથની સરકારની સાથે પાર્ટી સંગઠન સાથે જોડાયેલા તમામ કાર્યકર્તાઓને અઢળક શુભકામનાઓ.'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube