પણજી: ગોવાના પૂર્વ મુખ્યમંત્રી દિવંગત મનોહર પાર્રિકરના પુત્ર ઉત્પલ પાર્રિકરે કહ્યું છે કે તેમના પિતા ક્યારેય ઈચ્છતા ન હતાં કે તેઓ રાજકારણમાં આવે. ભાજપે પણજી વિધાનસભાની બેઠકની પેટાચૂંટણી માટે રવિવારે પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ કુનકોલીનકરને ઉમેદવાર બનાવ્યાં છે. ઉત્પલે જો કે એમ પણ કહ્યું કે તેઓ એક સ્વતંત્ર વ્યક્તિ છે, જેની પોતાની એક અલગ ઓળખ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખુબ જ મહત્વની આ સીટ... જીતનું અંતર નક્કી કરશે કે દેશમાં 'મોદી લહેર' યથાવત છે કે નહીં


પણજી બેઠકથી વર્તમાન ધારાસભ્ય મનોહર પાર્રિકરનું 17મી માર્ચે નિધન થયા બાદ આ બેઠક ખાલી પડી છે. જેના પર પેટાચૂંટણી કરાવવામાં આવી રહી છે. એવી અટકળો હતી કે ઉત્પલને ટિકિટ આપવામાં આવશે પરંતુ પાર્ટીએ સિદ્ધાર્થની પસંદગી કરી. 


ઉત્પલે પત્રકારોને કહ્યું કે તેમના પિતા નહતા ઈચ્છતા કે તેઓ રાજકારણમાં આવે. તેને પરિવારનું રાજ કહી શકાય નહીં. હવે મારા પિતા નથી. હું એક સ્વતંત્ર વ્યક્તિ છું. મારી પોતાની અલગ ઓળખ છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...