દેહરાદૂનઃ ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત (Tirath Singh Rawat) પોતાના નિવેદનોને કારણે સતત ચર્ચામાં છે. મહિલાઓના ફાટેલા જીન્સ પહેરવાનો વિવાદ હજુ શાંત થયો નથી ત્યારે હવે દેશની ગુલામીને લઈને તેમનું જ્ઞાન સામે આવ્યું છે. રવિવારે એક કાર્યક્રમમાં તીરથ સિંહ રાવતે કહ્યુ કે, અન્ય દેશોની તુલનામાં ભારત કોરોના સંકટનો સામનો કરવા સારૂ કામ કરી રહ્યું છે. તો અમેરિકા, જેણે આપણને 200 વર્ષ ગુલામ બનાવી રાખ્યા અને દુનિયા પર રાજ કર્યું, વર્તમાન સમયમાં તે સંઘર્ષ કરી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તીરથ સિંહ રાવતે કહ્યુ કે, કોરોના કાળમાં સરકાર તરફથી દરેક ઘરમાં પ્રતિ યૂનિટ 5 કિલો રાશન આપવામાં આવ્યું, જેના 10 હતા તેના 50 કિલો, 20 હતા તો ક્વિન્ટલ ભરી રાશન આપવામાં આવ્યું. છતાં પણ પરેશાની થવા લાગી કે 2 વાળાને 10 કિલો અને 20 વાળાને ક્વિન્ટલ ભરી મળ્યું. તેમાં સમસ્યા શેની? જ્યારે સમય હતો તો તમે 2 પેદા કર્યા 20 નહીં. 


મહિલાઓને 33 ટકા અનામત આપવાની જાહેરાત, સંકલ્પ પત્રમાં અમિત શાહની મોટી વાતો


વિશ્વ વાનિકી દિવસ કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા રાવત
હકીકતમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત રવિવારે વિશ્વ વાનિકી દિવસની તકે નૈનીતાલ જિલ્લાના રામનગરમાં આયોજીત કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. અહીં લોકોને સંબોધિત કરતા તેમણે વિવાદિત નિવેદન આપ્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube