દેહરાદૂનઃ Uttarakhand Assembly Election 2022: કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે (Anurag Thakur) ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી (Pushkar Singh Dhami) ની સાથે બાગેશ્વરમાં વિજય સંકલ્પ યાત્રા (Vijay Sankal Yatra) ની શરૂઆત કરી છે. આ દરમિયાન એક રેલીને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, કોંગ્રેસે 2G, 3G સહિત અનેક કૌભાંડો કર્યા હતા. અમે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં પોતાની સરકારના 7 વર્ષ પૂરા કરી લીધા છે, પરંતુ રાહુલ ગાંધીથી લઈને સોનિયા ગાંધી સુધી કોઈપણ પીએમ મોદી પર 7 પૈસાના કૌભાંડનો આરોપ પણ ન લગાવી શકે. 


અનુરાગ ઠાકુરે કહ્યુ કે, અમે ભ્રષ્ટાચાર મુક્ત, વિકાસોન્મુખી સરકાર આપી છે. તેમણે કહ્યું કે, અટલજી એ એક સાથે ઝારખંડ, ઉત્તરાખંડ અને છત્તીસગઢ રાજ્ય બનાવવાનું કામ કર્યુ, કોઈ જગ્યાએ મારપીટ થઈ નહીં. શાંતિથી બિલ પાસ થયા હતા. જ્યારે કોંગ્રેસની સરકાર હતી, તેણે તેલંગણા રાજ્ય બનાવવાનું હતું. જેનો તેના જ સાંસદ સંસદમાં વિરોધ કરતા હતા અને કોંગ્રેસ તેને સંસદમાંથી બહાર કરી દેતી હતી.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube