નવી દિલ્હી: સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિ ગંભીર છે. ઉત્તરાખંડ પણ તેમાંથી બાકાત નથી. રાજ્યમાં કોરોનાની વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ઉત્તરાખંડ સરકારે આ વર્ષે ચારધામની યાત્રા રદ કરી છે. મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે કહ્યું કે ચાર મંદિરોના પૂજારીઓને જ ફક્ત પૂજા અને અન્ય વિધિ કરવા માટે મંજૂરી રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક જ દિવસમાં 3.79 લાખથી વધુ કેસ
અત્રે જણાવવાનું કે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા આજે સવારે બહાર પાડેલા લેટેસ્ટ આંકડા મુજબ સમગ્ર દેશમાં કોરોના વાયરસના નવા  3,79,257 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 1,83,76,524 પર પહોંચી ગઈ છે. જેમાંથી 1,50,86,878 લોકો રિકવર થયા છે. જ્યારે 30,84,814 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. 


Corona Update: કોરોનાની અત્યંત ભયજનક સ્થિતિ, રોકેટ ગતિથી વધી રહ્યો છે મૃત્યુઆંક, નવા 3.79 લાખથી વધુ કેસ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube