દેહરાદૂન/નૈનિતાલ: ઉત્તરાખંડના તમામ ભાગ, ખાસકરીને કુમાઉ ક્ષેત્રમાં મૂશળાધાર વરસાદે તબાહી મચાવી દીધી છે. કુદરતી આફતમાં 23 લોકોના મોત થયા છે. ગત બે દિવસમાં જ 16 લોકોના મોત થયા છે. સોમવારે 5 લોકોના મોત થયા હતા તો મંગળવારે 11 લોકોના મોત થયા છે. નૈનીતાલ શહેર, રાજ્ય બાકી ભાગથી છૂટુ પડી ગયું છે. ભારે વરસાદના લીધે ઘણા મકાન ઢળી પડ્યા છે અને ઘણા લોકો કાટમાળ નીચે ફસાયા છે.  


અનેક જગ્યાએ લેન્ડસ્લાઇડ
લેન્ડસ્લાઇડના લીધે નૈનીતાલ સુધી જનાર રસ્તા પર અવર-જવર સંપૂર્ણપણે અટકી ગઇ છે. તેના લીધે પર્યટક સ્થળનો બાકીના રાજ્યોથી સંપર્ક તૂટી ગયો છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દેહરાદૂનમાં કહ્યું કે વાદળ ફાટવાના લીધે ભૂસ્ખંલન બાદ ઘણા લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. ધામીએ આશ્વસ્ત કર્યા છે કે સેનાના ત્રણેય હેલીકોપ્ટર રાજ્યમાં ચાલી રહેલા રાહત તથા બચાવ કાર્ય અભિયાનોમાં મદદ કરવા માટે જલદી પહોંચશે. તેમાંથી બે હેલિકોપ્ટરને નૈનિતાલ મોકલવામાં આવ્યા છે, જ્યાં ભારે વરસાદના લીધે મોટાપાયે નુકસાન થયું છે. 


PF Balance: આવી ગયા EPF ના વ્યાજના પૈસા, ચેક કરો તમારું બેલેન્સ, આ રીતે ડાઉનલોડ કરો E-Statement


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube