ઉત્તરકાશીના સિલ્ક્યારામાં ટનલમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢવાની પ્રક્રિયા ચાલુ છે. સુરંગમાં ખોદકામ પૂરું થવાના આરે છે. 800 મિમી વ્યાસનો પાઈપ પણ નાખવામાં આવી ચૂક્યો છે. બચાવકર્મીઓ મજૂરોની એકદમ નજીક પહોંચી ગયા છે. આ ટીમ મજૂરોને પાઈપ દ્વારા બહાર કાઢવામાં મદદ કરશે. એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મજૂરોને જલદી બહાર કાઢવામાં આવી શકે છે. રેસ્ક્યૂ ટીમોએ મજૂરોના પરિજનોને તેમના કપડાં અને બેગ તૈયાર રાખવા જણાવ્યું છે. મજૂરોને  બહાર કાઢ્યા બાદ તેમને હોસ્પિટલમાં લઈ જવાશે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube