Varanasi Loudspeaker Controversy: મહારાષ્ટ્રથી શરૂ થયેલા લાઉડસ્પીકર વિવાદ હવે ધીમે ધીમે વારાણસી પહોંચી ગયો છે. મહાદેવની નગરી કાશીમાં પણ હવે લોકો મોટા અવાઝે અઝાનનો વિરોધ કરવા લાગ્યા છે. એવામાં ગુરૂવારે હિંદુ સમુદાયના લોકોએ પોતાની છત પર લાઉડસ્પીકર લગાવીને હનુમાન ચાલીસાના પાઠ હતા. તમને જણાવી દઇએ કે આ પાઠ હનુમાન જયંતિ પહેલાં કરવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હનુમાન ચાલીસાથી થાય છે દિવસની શરૂઆત
તમને જણાવી દઇએ કે અઝાનના ભારે અવાઝથી પરેશાન કેટલાક લોકોએ પોતાના ઘર ઉપર હનુમાન ચાલીસાના પાઠ કર્યા છે. એવામાં વારાણસીમાં દિવસની શરૂઆત અઝાન સાથે જ હનુમાન ચાલીસાથી થશે. લોકો સવારે ઉઠીને પોતાના ઘરની છત અપ્ર હનુમાન ચાલીસાના પાઠ કરશે. 

7th Pay Commission: કેન્દ્રીયકર્મીઓ માટે ખુશખબરી, DA પર નાણામંત્રાલયની મોટી જાહેરાત


આ માટે ભર્યું પગલું
વારાણસીમાં લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસા શરૂ કરનારાઓનું કહેવું છે કે અઝાનના અવાઝના લીધે મોહલ્લાના લોકો ખૂબ પરેશાન થઇ ગયા હતા. તેનાથી છુટકારો મેળવવા માટે તેમણે હનુમાન ચાલીસાનો પાઠ કરવા માટે હનુમાન ચાલીસા વગાડે છે. 


મહારાષ્ટ્રથી શરૂ થયો વિવાદ
તમને જણાવી દઇએ કે મહારાષ્ટ્રમાં મનસે પ્રમુખ રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાક્રે સરકારને અલ્ટીમેટમ આપ્યું છે. થાણેની એક રેલીમાં રાજ ઠાકરેએ પોતાની માંગને પુનરાવર્તિત કરતાં કહ્યું હતું કે મસ્જિદોથી લાઉડસ્પીકર દૂર કરવા જોઇએ. તેના માટે મહારાષ્ટ્ર સરકારને 3 મે પહેલાં કાર્યવાહી કરવાનું અલ્ટીમેટમ આપ્યું છે. 


ઠાકરે સરકારે આપ્યો ખુલ્લો પડકાર
રાજ ઠાકરેએ ધમકી આપતાં કહ્યું કે જો 3 મે પહેલાં મસ્જિદો પરથી લાઉડસ્પીકર નહી હટાવવામાં આવે તો મનસે કાર્યકર્તા મસ્જિદો સામે હનુમાન ચાલીસાનો પાઠ કરશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube