પીલીભીત : યૂપીમાં સુલ્તાનપુરના સાંસદ અને લોકસભા ચૂંટણી 2019માં પીલીભીતથી ભાજપનાં લોકસભા ઉમેદવાર વરૂણ ગાંધીએ સમાજવાદી પાર્ટીનાં સુપ્રીમો રહેલા મુલાયમસિંહ પર શાબ્દિક પ્રહાર કર્યો છે. મુલાયમ સિંહે આ વખતે પણ મૈનપુરીથી ચૂંટણી લડી રહ્યા છે. તેમના પર નિશાન સાધતા વરુણ ગાંધીએ કહ્યું કે, મુલાયમ સિંહ યાદવે રામ ભક્તો પર ગોળી ચલાવીને પાપ કર્યું તેનું પરિણામ એ આવ્યું કે અંતમાં તેમનાં જ પુત્રનાં ધક્કા મારીને રોડ પર કાઢી મુક્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભોપાલમાં સર્જાયા ફિલ્મી દ્રશ્યો: ITની રેડ બાદ પોલીસ અને CRPF વચ્ચે ઘર્ષણ

માયાવતી માટે વરુણ ગાંધીએ કહ્યું કે, માયાવતીએ સમગ્ર જીવન ટિકિટો વહેંચી છે. વરુણ ગાંધીએ પોતાનાં તથા પોતાના માં મેનકા ગાંધીને ટિકિટ મળવા અંગે કહ્યું કે, ભાજપે સમગ્ર દેશમાં માત્ર એક જ પરિવારની બે ટિકિટ આપી છે. જ્યારે માંગનારાઓમાં 10થી 20 પરિવાર હતા કોઇને નથી આપ્યું. સપા-બસપા ગઠબંધન પર હુમલો કરતા કહ્યું કે, ભલે જ આ લોકો એક થઇ ગયા હોય. પરંતુ નીચેનાં લોકો નારાજ છે. યુપીમાં મહાગઠબંધનના સવાલ પર વરુણ ગાંધીએ કહ્યું કે, આ કઇ ખેતરની મુલી છે. 
પુત્ર કોંગ્રેસમાં જોડાયો તો હિમાચલ CMએ મંત્રીને કહ્યું BJP માટે પ્રચાર કરો અથવા પદ છોડો

વરૂણ ગાંધી 2009માં પણ પીલીભીતથી ચૂંટણી જીતી ચુક્યા છે. જો કે તે સમયે તેઓ પોતાની વિવાદિત ટીપ્પણીના કારણે ચર્ચામાં આવ્યા હતા. ત્યાર બાદ તેઓ 2014માં પોતાનાં પિતાની પરંપરાગત સીટ સુલ્તાનપુર આવી ગયા પરંતુ આ વખતે તેમની સીટ બદલી દેવામાં આવી હતી.