નવી દિલ્હી : દમદાર અવાજ, જબરદસ્ત ડાયલોગ અને ઉત્કૃષ્ઠ અભિનયતથી સિલ્વર સ્ક્રીન પર પોતાની છાપ છોડનારા કાદર ખાન હવે આપણી વચ્ચે નથી રહ્યા. તેઓ ગત કેટલાક દિવસોથી બહુ બીમાર હાત. કાદર ખાનના દિમાગે કામ કરવાનું બંધ કરી દીધું હતું. તેથી તેમને હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. ન્યૂઝ એજન્સી પીટીઆઈના અનુસાર, કાદર ખાનના દીકરા સરફરાજે આ વાતની પુષ્ટિ કરી છે કે, કાદર ખાનનું નિધન થયું છે. કાદર ખાનના નિધનથી બોલિવુડ જગત શોકમાં ડુબ્યુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અધૂરી રહી ગઈ હતી કાદર ખાનની આ ઈચ્છા, જેમાં હતું બિગ-બીનું નામ


હાલમાં જ એક ન્યૂઝ પોર્ટલ સાથે થયેલી વાતચીતમાં કાદર ખાનના દીકરા સરફરાજે જણાવ્યું હતું કે, પ્રોગ્રેસિવ સુપ્રાન્યુક્લિયર પાલ્સી ડિસઓર્ડરને કારણે કાદર ખાનની મગજથી થતી તેમની તમામ હરકતો પર પ્રભાવ પડી રહ્યો હતો. આ સાથે જ તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી હતી. આ કારણે તેમનામાં નિમોનિયાના લક્ષણ પણ દેખાયા હતા. છેલ્લાં 5-6 દિવસથી તેઓ કેનેડાની હોસ્પિટલમાં દાખલ હતા.


...જ્યારે કાદર ખાનના અભિનયથી ઈમ્પ્રેસ થઈને દિલીપ કુમારે આપી હતી ‘મોટી ઓફર’


કાદર ખાને 2014માં બીમાર હોવા છતા મક્કા મદીના જઈને હજની પવિત્ર યાત્રા કરી હતી. તે દરમિયાન તેમની અનેક તસવીરો મીડિયા સામે આવી હતી.