નવી દિલ્હી: જાણીતા વકીલ અને પૂર્વ કાયદા મંત્રી રામ જેઠમલાણીનું નિધન થયું છે. 95 વર્ષની ઉંમરે તેમણે દિલ્હીમાં છેલ્લા શ્વાસ લીધા. રામ જેઠમલાણીની ગણતરી દેશના સૌથી સારા વકીલોમાં થતી હતી. તેમણે પોતાના જીવનમાં અનેક મોટા કેસ લડ્યા અને જીત્યા હતાં. જેઠમલાણી કેન્દ્રીય કાયદા મંત્રી પણ રહી ચૂક્યા છે. રામ જેઠમલાણી છેલ્લા બે અઠવાડિયાથી બીમાર હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રામ જેઠમલાણીનો જન્મ 14 સપ્ટેમ્બરના રોજ સિંધના શિકારપુર (હવે પાકિસ્તાનમાં)માં થયો હતો. 13 વર્ષની ઉંમરે તેમણે મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી. 17 વર્ષની વયે તેમણે બોમ્બે યુનિવર્સિટીમાંથી એલએલબીની ડિગ્રી મેળવી હતી. પોતાની શાનદાર કેરિયરમાં રામ જેઠમલાણીએ અનેક હાઈપ્રોફાઈલ કેસ લડ્યા હતાં. તેમણે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી અને ઈન્દિરા ગાંધીના હત્યારાઓ માટે કેસ લડ્યો હતો. અટલ સરકારમાં જૂન 1999થી જુલાઈ 2000 સુધી તેઓ કેન્દ્રીય કાયદા મંત્રી રહ્યાં હતાં. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...