નૂરપુર: નૂરપુર વિધાનસભા પેટાચૂંટણીમાં સપાના ઉમેદવારે 6211 મતોથી જીત નોંધાવી છે. સપાના નઈમુલ હસને ભાજપના અવની સિંહને હરાવ્યાં. નૂરપુર બેઠક ભાજપના ધારાસભ્ય લોકેન્દ્ર ચૌહાણના નિધનથી ખાલી થઈ હતી. લોકેન્દ્ર ચૌહાણનું ફેબ્રુઆરીમાં કાર અકસ્માતમાં મોત થયું હતું. ભાજપે લોકેન્દ્ર સિંહ ચૌહાણના પત્નીને મેદાનમાં ઉતાર્યા હતાં. આ બેઠક માટે કુલ 10 ઉમેદવારો મેદાનમાં હતાં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચૂંટણી પંચના જણાવ્યાં મુજબ નૂરપુરમાં 3.06 લાખ મતદારો છે. વોટિંગ માટે 2056 પોલિંગ બૂથ બનાવવામાં આવ્યાં હતાં. ચૂંટણી દરમિયાન અનેક પોલિંગ બૂથ પર ઈવીએમ મશીન ખરાબ થવાની ફરિયાદો ઉઠી હતી. 28મી મેના રોજ નૂરપુર સહિત દેશની ચાર લોકસભા અને 10 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી.



આ બાજુ અન્ય એક બેઠક કૈરાના લોકસભા સીટ માટે પણ ભાજપે પછડાટ ખાવવાનો વારો આવ્યો છે. ગઠબંધનના ઉમેદવાર તબસ્સુમ હસને ભાજપના ઉમેદવાર મૃગાંકા સિંહ 45000થી પણ વધુ મતોથી હરાવ્યાં છે.